શોધખોળ કરો
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કયા ત્રણ ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી? જાણો વિગત
1/5

ઓપનર મુરલી વિજય પણ સદંતર નિષ્ફળ રહ્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 20 અને બીજી ઇનિંગમાં 6 રન બનાવ્યા હતા તેમ છતાં તેને બીજી ટેસ્ટ મેચમાં તક આપી હતી. જોકે, તે બીજી ટેસ્ટમાં ફ્લોપ રહેતાં બંને ઇનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. મુરલી વિજયને બહાર કરી તેના સ્થાને ધવનને ફરી તક મળી શકે તેવું લાગી રહ્યું છે.
2/5

ટીમ મેનેજમેન્ટે પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાને બહાર કરી લોકેશ રાહુલને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ તે પ્રથમ ટેસ્ટમાં માત્ર 17 રન બનાવી શક્યો હતો. બીજી ટેસ્ટમાં શિખર ધવનને બહાર કરી લોકેશ રાહુલને ફરી તક આપી હતી પરંતુ તેના દેખાવમાં સુધારો થયો નહોતો અને બીજી ટેસ્ટમાં 18 રન બનાવી શક્યો હતો. આથી રાહુલને બહાર કરી કરુણ નાયરને ટીમમાં તક મળે તેમ છે.
Published at : 15 Aug 2018 08:41 AM (IST)
Tags :
India Vs England TestView More





















