શોધખોળ કરો
INDvNZ: આવતીકાલે ચોથી વન ડે, વિરાટ વગર જીતનો ચોગ્ગો ફટકારવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
1/3

નવી દિલ્હીઃ વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝિલેન્ડમાં પણ વન ડે શ્રેણી જીતી છે. પાંચ મેચની શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતીને ક્લીન સ્વિપ તરફ આગળ વધી રહેલી ટીમ ઈન્ડિયા આવતીકાલે હેમિલ્ટનમાં ચોથી મેચ રમવા મેદાનમાં ઉતરશે. પરંતુ આવતીકાલની મેચમાં ભારતીય ટીમની જીત સરળ નહીં હોય, કારણકે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવાનો ફેંસલો લેવામાં આવ્યો છે અને તે આગામી મેચોમાં રમવાનો નથી.
2/3

વિરાટની ગેર હાજરીમાં ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માને ટીમને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. હવે રોહિતના માથે ન્યૂઝિલેન્ડમાં ક્લિન સ્વીપ કરીને ઈતિહાસ રચવાની જવાબદારી છે. ભારત જો 4-0ની લીડ લઈ લશે તે 52 વર્ષમાં ન્યૂઝિલેન્ડમાં સૌથ મોટી જીત હશે. ભારતે પ્રથમ વખત 1967માં ન્યૂઝિલેન્ડનો પ્રવાસ કર્યો હતો.
Published at : 30 Jan 2019 03:38 PM (IST)
View More





















