શોધખોળ કરો
IND v WI: આજની પ્રથમ વનડેમાં નંબર ચાર પર કયો ખેલાડી કરશે બેટિંગ? જાણો વિગતે
પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે. વર્લ્ડકપની ઈજામાંથી મુક્ત થયા બાદ શિખર ધવનનું ટીમમાં પુનરાગન થયા બાદ રોહિત શર્મા સાથે તે ઓપનિંગમાં આવશે નક્કી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ આજથી વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ વનડે મેચ રમીને વનડે સીરીઝની શરૂઆત કરશે, વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયાની આ પહેલી વનડે છે. વનડેમાં ભારતીય ટીમ અન્ય ટીમો અને ખાસ કરીને વેસ્ટ ઇન્ડિઝ સામે મજબૂત છે. પણ સૌથી મોટી મુશ્કેલી નંબર ચારની બેટિંગ પૉઝિશનને લઇને છે. વર્લ્ડકપમાં પણ નંબર ચારના બેટ્સમેનને લઇને મુશ્કેલી પડી હતી. આજે સૌથી મોટો પ્રશ્ન નંબર ચારની બેટિંગ પૉઝિશનનો છે, આ માટે કેટલાક બેટ્સમેન દાવેદારી કરી રહ્યા છે. પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 7 કલાકે ગુયાનામાં રમાશે. વર્લ્ડકપની ઈજામાંથી મુક્ત થયા બાદ શિખર ધવનનું ટીમમાં પુનરાગન થયા બાદ રોહિત શર્મા સાથે તે ઓપનિંગમાં આવશે નક્કી છે.
ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. જોકે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુઃખાવો સવાલ ચોથા નંબરને લઈને છે. નંબર 4 માટે લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર અને રિષભ પંત દાવેદાર છે. આજની મેચમાં આ ચાર બેટ્સમેનમાંથી કોઇએક નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. નંબર 5 ઉપર મનીષ પાંડેને તક મળી શકે છે. જ્યારે 6 નંબરે કેદાર જાધવ કે શ્રેયસ ઐયરમાંથી કોઇ એક રમશે.
નંબર 7 ઉપર ઓલરાઉન્ડર જાડેજા બેટિંગ કરી શકે છે. બોલિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારને આરામ આપી નવદીપ સૈનીને વન-ડે ડેબ્યૂની તક આપવામાં આવી શકે છે. ચહલ અને કુલદી યાદવના રુપમાં બે સ્પિનર પણ ટીમમાં સામેલ થઈ શકે છે. મોહમ્મદ શમીને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.
આવી હોઈ શકે સંભવિત ટીમ ઈન્ડિયાઃ - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, મનીષ પાંડે, કેદાર જાધવ/શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી
ત્રીજા નંબરે વિરાટ કોહલી રમશે. જોકે ટીમ ઈન્ડિયા માટે માથાનો દુઃખાવો સવાલ ચોથા નંબરને લઈને છે. નંબર 4 માટે લોકેશ રાહુલ, મનીષ પાંડે, શ્રેયસ ઐયર અને રિષભ પંત દાવેદાર છે. આજની મેચમાં આ ચાર બેટ્સમેનમાંથી કોઇએક નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. નંબર 5 ઉપર મનીષ પાંડેને તક મળી શકે છે. જ્યારે 6 નંબરે કેદાર જાધવ કે શ્રેયસ ઐયરમાંથી કોઇ એક રમશે.
નંબર 7 ઉપર ઓલરાઉન્ડર જાડેજા બેટિંગ કરી શકે છે. બોલિંગની વાત કરવામાં આવે તો ભુવનેશ્વર કુમારને આરામ આપી નવદીપ સૈનીને વન-ડે ડેબ્યૂની તક આપવામાં આવી શકે છે. ચહલ અને કુલદી યાદવના રુપમાં બે સ્પિનર પણ ટીમમાં સામેલ થઈ શકે છે. મોહમ્મદ શમીને પણ પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.
આવી હોઈ શકે સંભવિત ટીમ ઈન્ડિયાઃ - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, રિષભ પંત, મનીષ પાંડે, કેદાર જાધવ/શ્રેયસ ઐયર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, મોહમ્મદ શમી
વધુ વાંચો





















