શોધખોળ કરો

IPLની બાકીની મેચો હવે ક્યારે રમાશે? જાણો IPL ચેરમેન રાજીવ શુકલાએ શું કહ્યું?

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી, માત્ર ટાળવામાં આવી છે. રાજીવ શુક્લાએ કહ્યું કે, 'હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી. તેને ટાળવામાં આવી છે.

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર (Covid-19) જોવા મળી રહ્યો છે ત્યારે હવે ક્રિકેટ ખાસ કરીને આઈપીએલના (IPL 2021) ખેલાડીઓને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે. જેના કારણે આઈપીએલની આ સીઝન સસ્પેન્ડ (IPL 2021 Suspended) કરવામાં આવી છે. બીસીસીઆઈના વાઈસ પ્રેસિડન્ટ (BCCI Vice President) રાજીવ શુક્લાએ (Rajeev Shukla) એએનઆઈને જણાવ્યું કે, આ વર્ષે આઈપીએલની બાકીની મેચો સસ્પેન્ડ કરવામાં આવી છે. આઇપીએલની સિઝન (IPL 14 Edition) સસ્પેન્ડ થયા બાદ ક્રિકેટ ફેન્સને હવે સવાલ થઇ રહ્યો છે કે, આ સિઝનની બાકી બચેલી મેચો હવે ક્યારે રમાશે? જોકે આ વાતનો પણ રાજીવ શુક્લાએ જવાબ આપ્યો છે. 9મી એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલની આ સીઝનમાં 29 મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટની 31 મેચ હજુ બાકી છે. આ સંજોગોમાં બાકીની મેચ ક્યારે રમાશે તેવો સવાલ થઈ રહ્યો છે જેનો જવાબ બીસીસીઆઈના (BCCI) ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ (Rajeev Shukla) આપ્યો છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી, માત્ર ટાળવામાં આવી છે. રાજીવ શુક્લાએ કહ્યું કે, 'હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી. તેને ટાળવામાં આવી છે. આઈપીએલ-14ની બાકીની મેચ રમાશે. યોગ્ય સમયે, જ્યારે કોવિડની સ્થિતિમાં સુધારો આવશે, તો તે અંગે નિર્ણય લેવામાં આવશે.'  

તેમના કહેવા પ્રમાણે સસ્પેન્શનનું સૂચન કરતો રિપોર્ટ માત્ર 5 દિવસ કે એક સપ્તાહ માટેનો છે એ વાત પણ સાચી નથી. 5 દિવસ કે 1 સપ્તાહ બાદ ટુર્નામેન્ટ ફરી શરૂ થશે તેવી અટકળો થઈ રહી છે તે પણ સંભવ નથી. ઉલ્લેખનીય છે કે, કેકેઆર અને આરસીબી વચ્ચેની મેચ ખેલાડીઓ પોઝિટિવ આવતા મેચ બંધ રાખવામાં આવી હતી ત્યારે હવે રિદ્ધિમાન સાહા અને અમિત મિશ્રા કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી મળી છે.

લીગના ચેરમેન બ્રજેશ પટેલે કહ્યું, ‘ટૂર્નામેન્ટને અચોક્કસ મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. અમે આગળના ઉપલબ્ધ સમયમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ આ મહિને તો એવી કોઈ જ સંભાવના નથી.’ સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર વિદેશ સહિત તમામ ખેલાડી બબલમાં જ રહેશે. તે ઘર નહીં જાય. બીસીસીઆઈ એ જાણવા માગે છે કે કોરોનાથી બચાવની સાથે શું ખેલાડીઓને 2-3 જૂન સુધી બાયો બબલમાં રાખી શકાય છે કે નહીં. તેના માટે તમને એક સપ્તાહ અથા તેનાથી વધારે સમય લાગશે. એટલે ત્યાં સુધી આ સીઝન સસ્પેન્ડ જ છે.

નોંધનીય છે કે, સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાનાર મેચ રદ્દ કરવામાં આવી હતી. જાણકારી અનુસાર કોલોકાતાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આઈપીએલની 14મી સીઝનની 30મી મેચ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુર અને કોલકાતા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાવાની હતી. આ મેચ સાંજે 7-30 કલાકથી રમાવાની હતી.

કોરોનાના કહેરની વચ્ચે બીસીસીઆઈએ મજબૂત બાયો બબલ રહેવાનું કહ્યું હતુ, ત્યાર બાદ અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. ચેન્નઈ અને મુંબઈની તમામ મેચ પૂરી થઈ ગઈ છે. પરંતુ અમદાવાદમાં હાલમાં મેચ રદ્દ કરવામાં આવી છે.

હાલમાં જ બીસીસીઆઈએ બાયો બબલ નિયમ કડક બનાવ્યા હતા. ખેલાડીઓને દર પાંચ દિવસે કોરોના ટેસ્ટ કરાવાવની જગ્યાએ બે દિવસે કરાવવા કહ્યું હતું. સાથે જ બીસીસીઆઈએ ખેલાડીઓને હોટલની બહારનું ખાવાનું મગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈપીએલના સીઓઓ હેમાંગ અમીને કહ્યું હતું કે, પહેલા ખેલાડીઓ ટૂર્નામેન્ટ પહેલા કેટલીક હોટલમાંથી ખાવાનું મગાવવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે આ સુવિધા પરત લેવામાં આવી છે.

IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
Surat: પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરૂદ્ધ ફરિયાદ, પતંગના ભાવને લઇ સુરતમાં ગ્રાહકને જાહેરમાં ફટકાર્યો
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
મોટા સમાચારઃ 15 ફેબ્રુઆરીએ બજેટ સત્રની શક્યતા, UCC સહિત 7 વિધેયક લાવવાની સરકારની તૈયારી
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Gujarat Weather: રાજ્યના 5 શહેરો ઠંડાગાર, તાપમાન 10 ડિગ્રીથી ગયું નીચે, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
BMC Election Result 2026 Live: શરૂઆતી વલણમાં BJP ગઠબંધને મેળવી લીડ, શું છે ઠાકરે ભાઈઓની સ્થિતિ?
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
40 લાખમાં મળશે 10 ગ્રામ સોનું, 2050 સુધીમાં લગ્ન પ્રસંગે ગોલ્ડ ખરીદવા માટે 1 કરોડ રુપિયા પણ પડશે ઓછા
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
Donald Trump: મચાડોએ ટ્રમ્પને ભેટમાં આપ્યો પોતાનો નોબેલ પુરસ્કાર, વેનેઝુએલા સંકટ વચ્ચે વ્હાઉટ હાઉસમાં થઈ મુલાકાત
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા કહેતા પત્નીનું અગ્નિસ્નાન', બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
જો તમે આ બીમારીઓથી પીડાતા હોવ તો જરુર કરો કારેલાનું સેવન; 7 દિવસમાં જોવા મળશે પરિણામ
Embed widget