શોધખોળ કરો

17 વર્ષ, 6 ટીમ, 1 ખિતાબ.. દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ લીધી? ગાર્ડ ઓફ ઓનર સાથે આપી વિદાય

IPL એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિનેશ કાર્તિક 11 રન બનાવીને આઉટ થયો હતો. સતત 6 મેચ જીતીને એલિમિનેટરમાં પ્રવેશેલી RCBની સફર IPLમાં હાર સાથે સમાપ્ત થઈ ગઈ છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિકેટકીપર દિનેશ કાર્તિકે આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી હોવાના અહેવાલ છે. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી IPL એલિમિનેટર મેચ બાદ કાર્તિકને તેના RCB ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. વિરાટ કોહલીએ કાર્તિકને ગળે લગાડ્યો અને આંસુ ભરેલી આંખો સાથે તેને મેદાન પરથી ઉતારી દીધો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કાર્તિકે તેની છેલ્લી ઇનિંગમાં 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ RCB IPLમાંથી બહાર થઈ ગયું છે. કાર્તિકે સીઝનની શરૂઆત પહેલા કહ્યું હતું કે આ આઈપીએલ તેના કરિયરની છેલ્લી સીઝન બનવા જઈ રહી છે.

રાજસ્થાન સામેની મેચ હાર્યા બાદ દિનેશ કાર્તિકે હાથમાં બંને ગ્લોવ્સ ઉંચા કરીને દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. કોહલીએ કાર્તિકને ગળે લગાવ્યો. કાર્તિકે પણ ભાવનાત્મક રીતે મેદાન છોડી દીધું હતું. 38 વર્ષીય દિનેશ કાર્તિકે IPL 2024માં 15 મેચમાં 326 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 187.36ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આરસીબીએ તેને ટીમના ફિનિશરની ભૂમિકા આપી હતી પરંતુ આ સિઝનમાં કાર્તિક તેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી શક્યો નથી. તેણે આ સિઝનમાં 2 અડધી સદી ફટકારી છે. કાર્તિકે 27 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 4 કેચ લીધા અને એક સ્ટમ્પિંગ કર્યું.

દિનેશ કાર્તિકે 257 IPL મેચોમાં 50 વખત અણનમ રહીને 4842 રન બનાવ્યા હતા. આ જમણા હાથના બેટ્સમેને તેની IPL કારકિર્દીમાં 22 અડધી સદી ફટકારી હતી, જેમાંથી શ્રેષ્ઠ સ્કોર અણનમ 97 રન હતો. આ દરમિયાન તેના બેટમાંથી 466 ચોગ્ગા અને 161 છગ્ગા આવ્યા હતા. કાર્તિકે IPLમાં 145 કેચ પકડ્યા જેમાં 37 સ્ટમ્પિંગ પણ સામેલ છે.

દિનેશ કાર્તિક આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 2013માં ટ્રોફી ઉપાડી હતી, કાર્તિક તે ટીમનો ભાગ હતો. તે મહેન્દ્ર સિંહ ધોની પછી આઈપીએલના ઈતિહાસમાં બીજા સૌથી સફળ વિકેટકીપર હતા. આ લીગમાં સૌથી વધુ મેચ રમનાર તે ત્રીજો ખેલાડી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
Advertisement
metaverse

વિડિઓઝ

Gadhada Swaminarayan Mandir Controversy | લંપટ સાધુને ભગાવો... ગઢડામાં હરિભક્તોનો હલ્લાબોલSwaminarayan Gurukul News | 2 સ્વામિનારાય સંતો પર મહિલા સાથે દુષ્કર્મના આરોપથી ખળભળાટPorbandar Rain | પોરબંદરમાં મેઘરાજાએ સર્જી ભારે તારાજી...ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી; દ્રશ્યોGujarat Rain | સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓને વરસાદે આવતા વેત જ ઘમરોળી નાંખ્યા, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
જનાધાર ઘટ્યો એટલે ભાજપના ધારાસભ્યોને ભ્રષ્ટાચાર યાદ આવ્યો, 9 ધારાસભ્યોએ સિસ્ટમ સામે અવાજ ઉઠાવ્યો
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
રાજકોટ TRP ગેમઝોન આગકાંડમાં RMCના વધુ બે અધિકારીઓની ધરપકડ
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
Lok Sabha Speaker: ટીડીપીએ લોકસભા સ્પીકર પદને લઈને મૂકી આવી શરત, ભાજપનું વધ્યું ટેન્શન, હવે નીતિશ કુમાર શું કરશે?
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
આયુષ્માન કાર્ડ પર હોસ્પિટલ મફત સારવાર આપવાનો ઇનકાર કરે તો આ નંબર પર કરો ફરિયાદ, તરત જ સમસ્યાનો ઉકેલ આવી જશે
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
EPFOએ પેન્શન, PF અને ઈન્સ્યોરન્સ સ્કીમનાં નિયમોમાં બદલ્યા, હવે ઓછો લાગશે દંડ... જાણો કોને થશે અસર
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
વરસાદ છોડો આ 14 રાજ્યોમાં હીટવેવ ભુક્કા બોલાવશે, આકરી ગરમીમાં શેકાવાની હવામાન વિભાગની આગાહી
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
આજે રાજ્યનાં 25 જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમીએ પવન ફુંકાશે
Embed widget