શોધખોળ કરો

શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો

પઠાણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમની સાથે પોતાની કારકિર્દી 27-28માં શરૂ કરે છે, પરંતુ તેમણે આ ઉંમરમાં પોતાની અંતિમ મેચ રમી હતી.

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ઇરફાન પઠામે શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કર્યા બાદ કારકિર્દીને લઈને મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે રવિવારે કહ્યું કે, તેમના સ્વિંગ પર હંમેશા પહેલાની જેમ જ અધિકાર રહ્યો. તેમમે કહ્યું કે, તેમનું પ્રદર્શન નબળું પડવા માટે તત્કાલીન કોચ ગ્રેગ ચેપલને જવાબદાર ગણાવવા એ મુદ્દાથી ભટકાવવા માત્ર હતું. પઠાણે કહ્યું હતું કે, મોટા ભાગના ખેલાડી ભારતીય ટીમની સાથે પોતાની કારકિર્દી 27-28માં શરૂ કરે છે, પરંતુ તેમણે આ ઉંમરમાં પોતાની અંતિમ મેચ રમી હતી. પઠાણ ત્યારે 27 વર્ષના હતા જ્યારે 2012માં પોતાની અંતિમ ઇન્ટરનેશન મેચ રમી હતી. એવો પણ સમય હતો જ્યારે ડાબોડી આ ફાસ્ટ બોલરે તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાને લઈને પણ સવાલ ઉઠાવ્યા હતા. શું ચેપલે ઇરફાન પઠાણની કારકિર્દી બરબાદ કરી હતી? નિવૃત્તી બાદ ઇરફાને કર્યો મોટો ખુલાસો પઠાણે કહ્યું કે, ‘આ પ્રકારની તમામ વાતો… લોકોનું ગ્રેગ ચેપલ અંગે વાત કરવું, આ બધી બાબતો મુદ્દાથી ભટકાવવા માત્ર હતી. એ પ્રકારની વાતો પણ સામે આવી કે, ઈરફાન રુચિ નથી દાખવી રહ્યો, તેમણે એક આભામંડળ રચી દીધું હતું કે, ઈરફાનની સ્વિંગ પર પહેલા જેવી પકડ નથી રહી, પણ લોકોને એ સમજવાની જરૂર છે કે, આખી મેચમાં તમને એવી સ્વિંગ નહીં મળે, જેવી પ્રથમ 10 ઓવર્સમાં મળે છે. હું હજુ પણ બોલને સ્વિંગ કરાવવામાં સક્ષમ છું.’ ઘણા પૂર્વ ખેલાડીઓનું માનવું છે કે, પઠાણ લાંબા સમય સુધી રમી શકે તેમ હતો પણ ઈજાને કારણે પણ તે પોતાની અસલ કાબેલિયતનું ખુલીને પ્રદર્શન ન કરી શક્યો. IPL 2008 બાદ પઠાણના તમામ ત્રણેય ફોર્મેટમાં રમવાની ઈચ્છા પર સવાલ ઉઠાવવામાં આવ્યા, પણ પઠાણે કહ્યું કે, એવી કોઈ વાત નહોતી. તેણે કહ્યું કે, ‘હા, હું હંમેશા ત્રણેય ફોર્મેટમાં રમવા માગતો હતો. હું 2009-10માં પીઠદર્દથી પરેશાન હતો. મારે ઘણા પ્રકારના સ્કેન કરાવવા પડ્યા જે તમારા શરીર માટે યોગ્ય નથી હોતા પણ મેં આવું એટલા માટે કર્યું કારણ કે, ખબર પડી શકે કે, મારા પીઠદર્દનું અસલ કારણ શું છે,’

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget