શોધખોળ કરો

IND Vs NZ: ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝાટકો, બીજી ટેસ્ટમાંથી સ્ટાર ખેલાડી થયો બહાર, જાણો કોને મળ્યું સ્થાન

સીરીઝમાં પહેલા જ 1-0થી પાછળ ચાલી રહેલ ટીમ ઇન્ડિયા માટે ઈશાંત શર્માનું બહાર થવું મોટો ઝાટકો છે.

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બીજી ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝાટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર બોલર ઈશાંત શર્મા ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, પગની ઘૂંટીમાં ઈજાને કારણે ઈશાંત શર્મા બીજી ટેસ્ટમાં રમી નહીં શકે. ઈશાંત શર્માને આ ઈજા બે મહિના પહેલા રણજી મેચમાં રમતા લાગી હતી. જોકે ટેસ્ટ સીરીઝની શરૂઆત પહેલા તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી હતી. ઈશાંત શર્માની જગ્યાએ ટીમમાં ઉમેશ યાદવને તક આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં અનુસાર ગુરુવારે ઈશાંત શર્માએ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. શુક્રવારે સવારે તેને કેટલાક ટેસ્ટ કરાવવા માટે મોકલવામાં આવ્યા. જોકે હજુ સુધી રિપોર્ટ્સ આવ્યા નથી. પરંતુ એ સ્પષ્ટ છે કે ઈશાંત શર્મા બીજી ટેસ્ટમાં રમશે નહીં. સીરીઝમાં પહેલા જ 1-0થી પાછળ ચાલી રહેલ ટીમ ઇન્ડિયા માટે ઈશાંત શર્માનું બહાર થવું મોટો ઝાટકો છે. પહેલા ટેસ્ટમાં ઈશાંત શર્માએ શાનદાર બોલિંગ કરતાં 68 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ટીમ મેનેજમેન્ટ ઈશાંત શર્માની ઇજાને લઈને કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માગતું. માટે બીજી ટેસ્ટમાં તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઉમેશ યાદવની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ન્યૂઝીલેન્ડની જમીન પર કોઈપણ ટેસ્ટ મેચ રમી નથી. ડિસેમ્બર 2018માં ઉમેશ યાદવે વિદેશી જમીન પર ઉતર્યો હતો. જોકે ઇન્ડિયામાં રમતા ઉમેશ યાદવ ટીમનો હિસ્સો હોય છે. છેલ્લા કેટલાક સમયથી ઉમેશ યાદવ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તેણે બુમરાહની ગેરહાજરીમાં ચાર ટેસ્ટ રમતા 23 વિકેટ લીદી છે. જોકે વિદેશમાં રમાયેલ 17 ટેસ્ટમાં ઉમેશ યાદવે 46 વિકેટ લીધી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
Embed widget