શોધખોળ કરો
આવતી કાલથી અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડ કપઃ જાણો કેટલા દેશ લેશે ભાગ
1/5

આઇકેએફના પ્રમુખ દેવરાજ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વધી રહેલા તનાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને વર્લ્ડ કપમાં સામેલ કરવાનો યોગ્ય સમય નથી. પાકિસ્તાન આઇકેએફનું મહત્વપૂર્ણ સભ્ય છે પરંતુ તેને ચેમ્પિયનશિપથી દૂર રાખવું તે વધારે યોગ્ય છે. પાકિસ્તાની ટીમના ખેલાડીઓનું સુરક્ષાનું જોખમ ઉભું થઇ શકે છે. પાકિસ્તાન કબડ્ડી ફેડરેશનના સેક્રેટરી રાણા મોહમ્મદ સરવરે જણાવ્યું હતું કે ભારતે નહીં આપેલા આમંત્રણના મુદ્દા પર ચર્ચા કરવા અમે બેઠક યોજી છે પરંતુ હું તમને જણાવું છું કે પાકિસ્તાન વિના કબડ્ડી વર્લ્ડ કપ કોઇ વર્લ્ડ કપ હશે નહીં. બાબત બ્રાઝિલ વિનાના ફૂટબોલ વર્લ્ડ કપ જેવી છે.
2/5

જોકે આ વખતે ભારત પાક વચ્ચે તણાવને પગલે ભારતે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને તેમાં ભાગ લેવાનું આમંત્રણ પણ પાઠવ્યું નથી. ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશને (આઇકેએફ) સ્પષ્ટતા કરી છે કે સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તનાવના કારણે પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
Published at : 06 Oct 2016 12:23 PM (IST)
Tags :
AhmedabadView More























