શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો
કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ ભારના બે સ્ટાર સ્પિનર છે. પરંતુ રવીન્દ્ર જાડેજાની વાપસી બાદથી એક મેચમાં બન્નેનું એક સાથે રમવું ઓછું જ બન્યું છે.
![કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો kuldeep yadav says rahul and rishabh pant doing well behind wicket but ms dhoni is very experienced કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07135521/dhoni-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય લેગ સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે, લોકેશ રાહુલ અને રિષભ પંત વિકેટની પાછળા સારું કામ કરી રહ્યા છે પરંતુ ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ અનુભવી રહી છે. કુદલીપે ગુરુવારે એક એવોર્ડ્સમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ચોક્કસપણે માહી ભાઈ (ધોની) પોતાની સાથે ઘણો અનુભવ લઈને આવ્યા છે અને તેણે ભારતીય ટીમને ઘણું આપ્યું છે. માટે જ્યારે તેના જેવા કોઈ ખેલાડી ન રમે તો તેની ખોટ અનુભવાય છે. પંત અને રાહુલ સારું કરી રહ્યા છે. બન્ને સારું કરી રહ્યા છે અને તેમની વચ્ચે વધાર અસમાનતા પણ નથી.
કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ ભારના બે સ્ટાર સ્પિનર છે. પરંતુ રવીન્દ્ર જાડેજાની વાપસી બાદથી એક મેચમાં બન્નેનું એક સાથે રમવું ઓછું જ બન્યું છે. કુલદીપે કહ્યું કે, આ બધું ટીમ મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે તે કેવી ટીમ સાથે ઉતરવા માગે છે.
કુલદીપે આગળ કહ્યું કે, ”અમારી ટીમ ખુબ જ મજબૂત છે અને અમે સારૂ પ્રદર્શન કરવા માટે શક્ય તમામ પ્રસત્ન કરીશું. સ્પિનરોની વાત છે તો તે અંગે ટીમ મેનેજમેન્ટ નિર્ણય કરે છે. સારી બેટિંગ અને બોલિગ કરવાની સ્થિતિમાં હોય તો બન્ને ખેલાડીને સાથે રમાડવા એ ટીમ માટે હંમેશા સારી વાત છે માટે જો અમે એક સાથે રમીએ છીએ તો આ સારૂ બની રહેશે.”
કુલદીપને 12 માર્ચથી દક્ષિણ આફ્રિકાની સાથે યોજાનાર વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં સ્થાન મળવાની આશા છે. તેના પછી ફરીથી આઇપીએલ છે.
BCCIએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે, હવે ધોની ટીમના ભવિષ્યના પ્લાનમાં નથી. તેમ છતા ધોનીના મેદાન પર વાપસીની સંભાવના સમાપ્ત થઇ નથી. ધોની જો આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરે છે તો તેની આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વકપમાં ટીમમાં વાપસી થઇ શકે છે.
![કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07135501/kuldeep-yadav.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)