નવી દિલ્હીઃ એશિયા કપની રોમાંચક ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 3 વિકેટથી હાર આપીને સાતમી વખત વિજેતા બન્યું હતું. એશિયા કપમાં ભારત તેના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી વગર જ રમ્યું હતું. કોહલીના બદલે રોહિત શર્માએ સુકાની પદ સંભાળ્યું હતું. એશિયા કપમાં કોહલીને કેમ આરામ આપવામાં આવ્યો હતો તેને લઇ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હવે ખુલાસો કર્યો છે.
2/4
ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનો 4-1 કારમો પરાજય થયો હતો. પરંતુ સમગ્ર શ્રેણીમાં વિરાટ કોહલીને બાદ કરતાં અન્ય બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. વેસ્ટ ઈન્ડિઝ સામે 4 ઓક્ટોબરથી 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં કોહલી ફરીથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળશે.
3/4
શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, વિરાટ શક્તિશાળી ખેલાડી છે. તેને મેદાન બહાર મોકલી શકાય નહીં. વિરાટ જો રમતો હોય તો મેચનો રોમાંચ અલગ જ હોય છે. તેથી આ માનસિક રીતે થકાવી દેનારો મામલો છે.
4/4
કોચ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટનું ધ્યાન થોડા સમયથી ક્રિકેટ પરથી હટાવવાનું હતું અને બાદમાં તે નવા અંદાજમાં વાપસી કરશે. ટીમના અન્ય ખેલાડીઓ સાથે પણ આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. તેમણે કહ્યું, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર સાથે પણ અમે આમ કરીએ છીએ અને તેમને ફ્રેશ રાખવા આરામ આપવામાં આવે છે.