શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેરળ ક્રિકેટ એસોસિએશનનો મોટો નિર્ણય, સાત વર્ષના પ્રતિબંધ બાદ રણજી ટીમમાં શ્રીસંતની કરાઈ પસંદગી
મેચ ફિક્સિંગના આરોપમાં શ્રીસંત પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ લાંબી લડાઈ બાદ 2015માં દિલ્હીની એક વિશેષ કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો.
![કેરળ ક્રિકેટ એસોસિએશનનો મોટો નિર્ણય, સાત વર્ષના પ્રતિબંધ બાદ રણજી ટીમમાં શ્રીસંતની કરાઈ પસંદગી S Sreesanth will be considered for selection in the Kerala ranji team કેરળ ક્રિકેટ એસોસિએશનનો મોટો નિર્ણય, સાત વર્ષના પ્રતિબંધ બાદ રણજી ટીમમાં શ્રીસંતની કરાઈ પસંદગી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/19034600/shreeshanth.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: કેરળ ક્રિકેટ સંઘ (કેસીએ)એ મોટો નિર્ણય લીધો છે. સાત વર્ષના પ્રતિબંધ બાદ સપ્ટેમ્બરમાં રાજ્ય રણજી ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર એસ શ્રીસંતને લેવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખની છે કે, મે, 2013માં દિલ્હી પોલીસે મેચ ફિક્સિંગના આરોપમાં શ્રીસંત અને તેમના રાજસ્થાન રોયલ્સ ટીમના બે સાથી અજીત ચાંડિલા અને અંકિત છવનની ધરપકડ કરી હતી. તેના બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ લાંબી લડાઈ બાદ 2015માં દિલ્હીની એક વિશેષ કોર્ટે તમામ આરોપોમાંથી મુક્ત કર્યો હતો.
શ્રીસંતે કહ્યું કે, “હું વાસ્તવમાં પોતાને એક તક આપવા પર કેસીએનો આભારી છું. હું પોતાના ફિટનેસ અને તુફાનને રમતમાં ફરી સાબિત કરીશ. આ તમામ વિવાદોને શાંત કરવાનો સમય છે.” હાલમાં જ કેસીએના પૂર્વ ફાસ્ટ બોલર ટીનુ યોહાનને ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. કેસીએના સચિવ સીરીથ નાયરે કહ્યું કે, તેમની વાપસી રાજ્ય ટીમ માટે એક સંપત્તિ હશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)