સંગાકારાએ એક ખાનગી ટીવી ન્યૂઝ ચેનલને કહ્યુ, ’વિરાટની રમત સૌથી અલગ છે. મને લાગે છે કે, હાલની ક્રિકેટમાં ઘણા ખેલાડીઓથી ખુબ જ આગળ છે.’ શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, ‘હું વધુમાં એવું કહેવા માંગીશ કે, કોહલી સર્વકાલિન મહાન ક્રિકેટર ન બન્યા તો પણ સર્વકાલિન મહાન ક્રિકેટરોમાં સામેલ જરૂરથી થશે.’ 222 આંતરરાષ્ટ્રીય વન-ડે મેચોમાં કોહલીએ 39 સદી ફટકારી છે. આ લિસ્ટમાં તે સચિન તેંડુલકરથી પાછળ છે. જેમણે 463 મેચોમાં 49 સદી ફટકારી છે.
2/3
નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ક્રિકેટ અને કેપ્ટન વિરાટ કોહલીને લઈને શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સાંગાકારાએ કહ્યું કે, તે આજના સમયના તમામ બેટ્સમેન કરતાં આગળ છે અને મહાન બનવાના રસ્તે છે. રન મશીન કોહલી માટે 2018નું વર્ષ શાનદાર રહ્યું.
3/3
આ સિવાય 77 ટેસ્ટ મેચોમાં વિરાટના નામે 25 ટેસ્ટ સદી પણ છે. સંગાકારા ક્રિકેટના તમામ પ્રારૂપમાં વિરાટની સફળતાને જોઇ હૈરાન છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટને કહ્યું, ‘જો તમે જોવો તો તે કેટલી સ્પિડ અથવા લયથી બેટિંગ કરે છે, તો તે ખુબ જ રોચક છે. તે પરિસ્થિતિઓને ખુબ જ સારી રીતે સમજે છે. તે રમતને લઇ ખુબ જ જનુની છે. જો તેમે મેદાન પર તેમનું એટીટ્યૂડ જુઓ તો તે એક વ્યક્તિ અને બેટિંગની સ્કિલ પ્રતિરૂપથી નજર આવે છે.’