શોધખોળ કરો

કોહલી કે પંત નહીં આ ખતરનાક ખેલાડીને આઉટ કરવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ વીડિયો જોઇને પ્રેક્ટિસ કરી રહી છે, કિવી ફાસ્ટ બૉલરે કર્યો ખુલાસો........

ન્યૂઝીલેન્ડનુ માનવુ છે કે ટૉપ ઓર્ડરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી હોવાના કારણે ટીમ ઇન્ડિયાની બેટિંગ ખુબ મજબૂત છે. ટિમ સાઉથીએ કહ્યું- ન્યૂઝીલેન્ડના બૉલરોએ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.  

World Test Championship 2021 Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનૌ સૌથી મોટો મુકાબલો રમાશે. ફાઇનલ પહેલા ન્યૂઝીલેન્ડને ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્માનો ડર સતાવી રહ્યો છે, આ વાતનો ખુલાસો ખુદ સ્ટાર કિવી બૉલર ટિમ સાઉથીએ કર્યો છે.  

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ પહેલા બન્ને ટીમો હરિફ ખેલાડીઓને લઇને પોતાનો મત આપી રહ્યાં છે. આ બધાની વચ્ચે ટિમ સાઉથી રોહિત શર્માને ખતરનાક ગણાવ્યો છે. ન્યૂઝીલેન્ડનુ માનવુ છે કે ટૉપ ઓર્ડરમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી હોવાના કારણે ટીમ ઇન્ડિયાની બેટિંગ ખુબ મજબૂત છે. ટિમ સાઉથીએ કહ્યું- ન્યૂઝીલેન્ડના બૉલરોએ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.  

ટિમ સાઉથીએ રોહિત શર્માને વિરોધી ટીમ પાસેથી મેચ છીનવી લેનારો ખેલાડી ગણાવ્યો છે. ફાસ્ટ બૉલરે કહ્યું- રોહિત ત્રણેય ફોર્મેટમાં શાનદાર ખેલાડી છે, તે એવો ખેલાડી છે, જેને મારે મારા પર્સનલ રીતે તેને બેટિંગ કરતો જોવો ગમે છે. તે વિરોધી ટીમ પાસેથી મેચ છીનવી શેક છે. પરંતુ બૉલિંગ ગૃપ તરીકે મને ખબર છે કે આખો બેટિંગ ક્રમ ખતરનાક છે.  

ટિમ સાઉથીએ કર્યો સારી તૈયારીઓનો દાવો- 
ન્યૂઝીલેન્ડ માટે 78 ટેસ્ટમાં 309 વિકેટ ઝડપનારા ટિમ સાઉથીએ કહ્યું કે તેમની ટીમે ડબલ્યૂટીસી ફાઇનલ માટે સારી તૈયારીઓ કરી છે. ટિમ સાઉથીએ કહ્યું ન્યૂઝીલેન્ડની ટીમ ફ્કત અનુભવી ખેલાડીઓ જ નહીં પરંતુ ઋષભ પંત અને શુભમન ગીલ જેવા બેટ્સમેનોના વીડિયો પણ જોઇ રહી છે. 

ડબલ્યૂટીસી ફાઇનલ દ્વારા ન્યૂઝીલેન્ડની નજર આઇસીસી ટૂર્નામેન્ટમાં જીત નોંધાવવા પર પણ છે. ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા બે વનડે વર્લ્ડકપમાં ઉપ વિજેતા રહી છે. ન્યૂઝીલેન્ડે 2000માં આઇસીસી ચેમ્પિયન ટ્રૉફી પોતાના નામે કરી હતી. ટિમ સાઉથીએ કહ્યું- અમને ખબર છે કે આ મુશ્કેલ અઠવાડિયુ રહેવાનુ છે. ટીમમાં કેટલાક એવા ખેલાડીઓ છે જે આઇસીસી ટૂર્નામેન્ટ જીતવાની ખુબ નજીક પહોંચ્યા અને તેની હાજરીમાં અમને ફાઇનલ રમવાનો અનુભવ છે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમિયાન ન્યૂઝીલેન્ડનુ પ્રદર્શન સારુ રહ્યું છે, ગયા વર્ષે ન્યૂઝીલેન્ડે ભારતને પોતાની ધરતી પર 2-0થી માત આપી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget