શોધખોળ કરો
વનમંત્રી ગણપત વસાવાના ગામમાં દિપડાને સળગાવાયો, સરકારે આપ્યા તપાસના આદેશ
1/5

સુરતઃ વનમંત્રી ગણપત વસાવાના ગામે દિપડાએ બાળકી પર હુમલો કર્યો હતો ત્યાર બાદ બાળકીનું મોત થયું હતું. આ મામલે રોષે ભારાયેલા ગામજનોએ દિપડાને સળગાવીને મારી નાખ્યો હતો. બાળકી પર દિપડાની હુમાલની ઘટના બાદ વન વિભાગે દિપડાને પાંજરે પુર્યો હતો. ત્યારે રોષે ભરાયેલા લોકોએ પકડાયેલા દિપડાને પાંજરાની અંદર જ સળગાવી દીધો હતો.
2/5

વનમંત્રી ગણપત વસાવાનું ગામ સુરત જિલ્લાના ઉમરપાડાના વાડી ગામમાં દિપડા સળગાવી દેવાની ઘટના બનતા વિવાદ શરૂ થયો છે. દિપડાને સળગાવાની ઘટના બનતા સરકારની ચિંતા વધી હતી. આ ઘટના બાદ વિવાદને ટાળવા માટે સરકારને તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતા. અને પાંચ સભ્યોની કમિટી બનાવીને તપાસ કવરામાં આવી આવશે.
Published at : 04 Nov 2016 10:06 AM (IST)
View More





















