શોધખોળ કરો
આ રહ્યા 10 કારણો જેને કારણે ફૂટ્યો વેલ્સીના પાપનો ઘડો
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 01 Jul 2016 11:38 AM (IST)
1/11

સુરતઃ ટેક્સટાઇલ બિઝનેસમેન દિશીત જરીવાલાની હત્યા પાછળ તેની પત્ની વેલ્સીની સંડોવણી બહાર આવ્યાના ખુલાસાએ સનસનાટી મચાવી દીધી છે. દિશીતની હત્યાના પ્રથમ દિવસથી વેલ્સી પર શંકા હતી. આ શંકા પાછળ તેના નિવેદનોમાં વિરોધાભાસ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યો છે. સમગ્ર પ્રકરણમાં દિશીતની પત્ની વેલ્સીને તેના પિતરાઈ ભાઈ સુકેતુ સાથેના પ્રેમસંબંધમાં આ ખુની ખેલ ખેલ્યાનું બહાર આવ્યું હતું. આ કેસના એકમાત્ર સાક્ષી વેલ્સીના નિવેદનોમાં અનેક શંકાઓ ઉપજે તેવી બાબતો હતી જેને કારણે પ્રથમ દિવસથી જ તે પોલીસના શંકાના દાયરામાં હતી. આગળની સ્લાઇડમાં વાંચોઃ વેલ્સી પર પોલીસને કેમ શંકા ઉપજી તેના કારણો રજૂ કરવામાં આવ્યા છે.
2/11

3/11

3- દિશીતની હત્યા થઇ તે દિવસે ઘરમાં દિશીત , તેની પત્ની વેલ્સી અને તેઓની દીકરી જ હતા. જ્યારે તેમનો આખો પરિવાર મલેશિયા ફરવા ગયો હતો. પોલીસને શંકા ઉપજી હતી કે પરિવારની આવી અંગત વાતો લૂંટારાઓ સુધી કેવી રીતે પહોંચી. જેને કારણે આ હત્યા અને લૂંટ પાછળ કોઇ અંગત વ્યક્તિ સંડોવાયેલી હોવાનું પોલીસ પ્રથમ દિવસથી જ માની રહી હતી.
4/11

2- વેલ્સીએ પોલીસને જણાવ્યું હતું કે તે રાત્રે 9થી 11 વાગ્યા સુધી અમે બહાર ગયા હતા જેથી ઘર બંધ હતું. પોલીસને આ નિવેદન પર શંકા જાગી હતી કે જો લૂંટારાઓ લૂંટના ઇરાદે આવ્યા હોત તો આ સમયે ઘરમાં કોઇ નહોતું અને તેઓ સરળતાથી લૂંટ કરી શક્યા હતા. તેઓએ દિશીતના ઘરે આવવાની કેમ રાહ જોઇ હતી.
5/11

9- વેલ્સીએ આ ઘટના દિશીત પાર્કિગની લાઇટ ઓન કરવા ગયો ત્યારે લૂંટારાઓ આવ્યા હતા. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે પાર્કિંગની લાઇટ ઘરની અંદરથી પણ ઓન કરી શકાતી હતી તો દિશીત લાઇટ ઓન કરવા પાર્કિગમાં કેમ જાય?
6/11

4- વેલ્સીના મતે લૂંટના ઇરાદે આવેલા લૂંટારાઓએ તેને અને તેની દીકરીને બાથરૂમમાં પુરી દીધી હતી અને દિશીતની હત્યા કરી ઘરમાં રહેલા સોના-ચાંદીના ઘરેણા લઇને ભાગી ગયા હતા. જ્યારે પોલીસના મતે જો લૂંટારાઓએ લૂંટના ઇરાદે જ આવ્યા હતા તો તેમણે દિશીતના હાથે રહેલી વિંટી કેમ ન લૂંટી. તે સિવાય લૂંટારાઓએ ફક્ત વેલ્સીના ઘરેણા લૂંટ્યા હતા.
7/11

8- બેડરૂમ અને ઘરની સ્થિતિ વેલ્સીએ આપેલા નિવેદનો સાથે સુસંગત થતી નહોતી જેથી વેલ્સી પરની પોલીસની શંકા વધુ ગાઢ બની હતી.
8/11

5- વેલ્સીએ કહ્યું કે મને બાથરૂમમાં પુરી લૂંટારાઓએ દિશીતની હત્યા કરી હતી. પોલીસ તપાસમાં કોઇ બળજબરીપૂર્વક અંદર આવ્યાના કોઇ નિશાન મળ્યા નહોતા જેથી પોલીસ કોઇ ઘરનાની સંડોવણી હોવાનું માની તપાસ આગળ ચલાવી રહી હતી.
9/11

10 વેલ્સીએ હત્યારાઓ ભાગ્યા તે સમય અને હત્યારાઓ સીસીટીમાં દિશીતની કાર લઇને ભાગતા જોવા મળ્યા તે સમય મેળ બેસતો નહોતો. તે સિવાય હત્યારાઓ રિક્ષામાં આવ્યા હતા અને દિશીતની ગાડી લઇને ભાગ્યા તો તેઓની પાસે દિશીતની કારની ચાવી એટલી સરળતાથી કેવી રીતે આવી તે સવાલ પણ પોલીસને ખટકતો હતો.
10/11

6- જો લૂંટારાઓએ લૂંટ જ ચલાવવી હતી તો પતિ-પત્નીને બાંધીને લૂંટ ચલાવી શક્યા હોત. તેઓએ ફક્ત દિશીતની જ કેમ હત્યા કરી. વેલ્સી અને તેમની દીકરીને કોઇ પણ પ્રકારની ઇજા પહોંચાડી નહોતી.
11/11

7- વેલ્સીએ લૂંટારાઓ ભાગ્યા અને પોતે બૂમાબૂમ કરી તેનો જે સમય બતાવ્યો હતો તે વચ્ચે ઘણું અંતર હોવાનું પોલીસને સીસીટીવીમાં સ્પષ્ટ જણાઇ આવ્યું હતું જેથી પોલીસ વેલ્સી પર શંકા કરી રહી હતી.
Published at : 01 Jul 2016 11:38 AM (IST)
Tags :
Surat Murder CaseSponsored Links by Taboola
ટોપ સ્ટોરી
સુરત
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરત
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરત
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરત
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
ટ્રેન્ડિંગ સમાચાર





















