શોધખોળ કરો
સુરતની સ્કૂલની દાદાગીરીઃ પિતાને ફોન કરી કહ્યું, ફી આપી બાળક લઈ જાવ, જાણો પછી શું થયું?
1/6

આ પછી વિપુલભાઈએ ઉમરા પોલીસ મથકમાં રુંઢ-મગદલ્લા ખાતે આવેલી પી. આર. ખાટીવાલા સ્કૂલના પ્રિન્સિપાલ શકુંતલાબહેન વશિષ્ઠ અને વર્ગ શિક્ષિકા મનીષાબેને સિનિયર કે.જી.માં અભ્યાસ કરતા 4 વર્ષીય તેમના પુત્ર દિવ્યેશને ગોંધી રાખ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ 2015ની કલમ 75 તેમજ આઈપીસીની કલમ 342 અને 114 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
2/6

સુરત: શહેરની એક પ્રાઇવેટ સ્કૂલની દાદાગીરીની ઘટના સામે આવી છે. વાલીએ પૂરતી ફી ન ભરતા 4 વર્ષના બાળકને વર્ગખંડમાં ગોંધી રાખી શાળા છૂટી ગયા બાદ પણ ઘરે જવા જ ન દીધો હતો. એટલું જ નહીં, વિદ્યાર્થીના પિતાને ફોન કરી ફી ભરી જાવ અને બાળકને લઈ જાવ, તેવું કહેવામાં આવ્યું હતું. જોકે, પિતાએ પોલીસની મદદ માગતાં બાળકને મુક્ત કરાવી પિતાને સોંપ્યો હતો.
Published at : 11 Apr 2017 10:39 AM (IST)
View More























