શોધખોળ કરો

BSNL 200MP કેમેરા સાથે 5G સ્માર્ટફોન લોન્ચ કરશે! કંપનીએ ટ્વીટ કરીને યુઝર્સને આપી માહિતી

BSNL latest 5G technology: જ્યારથી જિયો, એરટેલ અને વીઆઈએ તેમના રીચાર્જ પ્લાન્સની કિંમતોમાં વધારો કર્યો છે, ત્યારથી BSNLની કિસ્મત ખુલી ગઈ છે. સસ્તા પ્લાન્સ માટે લોકો BSNL પર સ્વિચ થઈ રહ્યા છે.

BSNL 5G smartphone: જ્યારથી રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના રીચાર્જ પ્લાન્સને મોંઘા કર્યા છે, જાણે BSNLની લોટરી લાગી ગઈ છે. ટેલિકોમ સેક્ટરમાં BSNL ખૂબ જ ચર્ચામાં છે. આ સમયે BSNLના સસ્તા રીચાર્જ પ્લાન્સ, 4G નેટવર્ક અને 5G નેટવર્કની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં BSNLના 5G ફોનની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે ખાનગી કંપનીઓના રીચાર્જ પ્લાન્સ મોંઘા થયા બાદ BSNL સતત નવા નવા ઓફર્સ લાવી રહ્યું છે. 3 જુલાઈ પછીથી BSNLના ગ્રાહકોની સંખ્યામાં પણ અચાનક વધારો જોવા મળ્યો છે જે વર્ષો પછી થયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં કેટલાક એવા સમાચાર પણ જોવા મળ્યા જેમાં એવું સામે આવી રહ્યું છે કે હવે કંપની તેના યુઝર્સ માટે 5G સ્માર્ટફોન લાવી રહી છે. હવે આ મામલે BSNL India તરફથી ટ્વીટ શેર કરીને માહિતી આપવામાં આવી છે.

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેય પણ કંઈપણ વાયરલ થવા લાગે છે. ઘણી વખત વાયરલ સમાચાર સાચા પણ હોય છે તો ઘણી વખત લોકોને કરવામાં આવેલા વાયદા ખોટા પણ સાબિત થાય છે. આ સમયે સોશિયલ મીડિયામાં BSNLના 5G સ્માર્ટફોનના લોન્ચ થવાના સમાચાર ઝડપથી સામે આવી રહ્યા છે. BSNLને લઈને એવા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે કે કંપની જલ્દી જ પોતાનો 5G સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઈ રહી છે જેમાં 200 મેગાપિક્સલનો કેમેરા હશે.

BSNLના 200 મેગાપિક્સલવાળા ફોનની ફોટો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં વાયરલ સમાચારમાં તો એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે BSNL પોતાનો 5G સ્માર્ટફોન ટાટા કંપની સાથે મળીને તૈયાર કરી રહ્યું છે અને તેમાં 7000mAhની બેટરી મળશે.

BSNLના 5G સ્માર્ટફોન અંગેના સમાચાર પર હવે ખુદ કંપનીએ ટ્વીટ કરીને મોટી માહિતી આપી છે. BSNL India તરફથી આ મામલે ટ્વીટ શેર કરીને ગ્રાહકોને જણાવ્યું છે કે 5G સ્માર્ટફોન લોન્ચ કરવાના સમાચાર સંપૂર્ણપણે બનાવટી છે. કંપનીએ કહ્યું કે આ પ્રકારની પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

કંપનીએ તેના ચાહકો અને ગ્રાહકોને એલર્ટ પણ કર્યા છે. BSNLએ કહ્યું કે જો 5G સ્માર્ટફોનના નામે કોઈ તમારી પાસેથી પૈસા લઈ રહ્યું છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે BSNL આ સમયે ખૂબ જ ચર્ચામાં છે. મોંઘા પ્લાન્સથી બચવા માટે લોકો હવે BSNLની તરફ શિફ્ટ થઈ રહ્યા છે. દેશભરના ઘણા રાજ્યોમાં BSNL યુઝર્સની સંખ્યા લાખોમાં વધી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Embed widget