શોધખોળ કરો

શું શિયાળામાં પણ કામ કરે છે સોલાર પેનલ? બહુ ઓછા લોકો જાણે છે આ હકિકત

Do Solar Panels Work In Winters: સોલાર પેનલ તાપમાનમાં મોસમી ફેરફારોથી પ્રભાવિત થતા નથી. જ્યાં સુધી સૂર્યપ્રકાશ ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરતી રહેશે. હકીકતમાં, શિયાળા દરમિયાન નીચા તાપમાનને કારણે સોલાર પેનલની કાર્યક્ષમતા ખરેખર વધે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોલર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે, ગરમી પર આધારિત નથી.
  • ઠંડા તાપમાનમાં સોલર પેનલની કાર્યક્ષમતા વધી જાય છે.
  • શિયાળામાં દિવસ ટૂંકો હોવા છતાં, સૂર્યપ્રકાશ મળતાં વીજળી બને છે.
  • બરફવર્ષામાં પણ સોલર પેનલ વધુ વીજળી જનરેટ કરી શકે છે.

Do Solar Panels Work In Winters:  સોલર પેનલની લોકપ્રિયતા અને ઉપયોગ સતત વધી રહ્યો છે. આ જ કારણ છે કે હવે મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી સોલર પેનલ જોવા મળી રહ્યા છે. હવે મોટી બિલ્ડિંગોથી લઈને નાના ઘરો સુધીની ઉર્જા જરૂરિયાતો સોલર પેનલ પૂરી કરી રહ્યા છે. સોલર પેનલ સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરે છે. એવામાં ઘણા લોકોના મનમાં એ સવાલ થઈ શકે છે કે શું શિયાળામાં પણ જ્યારે સૂર્ય ક્યારેક જ નીકળે છે, ત્યારે સોલર પેનલ વીજળી બનાવે છે? આજે આપણે આ જ સવાલનો જવાબ જાણીશું.

 

શું શિયાળામાં કામ કરે છે સોલર પેનલ?
આ સવાલનો જવાબ એ છે કે જ્યાં સુધી પેનલ પ્રકાશને કેપ્ચર કરી શકશે, ત્યાં સુધી તે વીજળી બનાવવાનું ચાલુ રાખશે. સોલર પેનલને વીજળી જનરેટ કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેને ગરમી સાથે કોઈ લેવાદેવા નથી. ઘણીવાર તાપમાન ઓછું હોય ત્યારે સોલર પેનલની કાર્યક્ષમતા વધી જાય છે.

આ પણ વાંચો...ચીને કર્યો 6G કમાલઃ હવે WiFi નહીં પ્રકાશથી ચાલશે ઇન્ટરનેટ, આંખના પલકારામાં પહોંચી જશે ડેટા

શિયાળાની વાત કરીએ તો, આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે અને સૂર્ય પણ ક્યારેક જ જોવા મળે છે, તેથી તેમનું આઉટપુટ ઘટી જાય છે. તેવી જ રીતે બરફવર્ષામાં પણ સોલર પેનલ કામ કરે છે. ખૂબ ઓછા લોકોને એ જાણકારી છે કે બરફને કારણે સોલર પેનલ વધુ વીજળી જનરેટ કરે છે. જ્યારે બરફ પરથી પ્રકાશ પરાવર્તિત થઈને પેનલ સુધી પહોંચે છે, ત્યારે તેમની કાર્યક્ષમતા વધી જાય છે.

શિયાળામાં આ બાબતોની વીજ ઉત્પાદન પર પડે છે અસર
સોલર પેનલને માત્ર સૂર્યપ્રકાશની જરૂર હોય છે. જો શિયાળામાં સૂર્યપ્રકાશ આવી રહ્યો હોય, તો તે વીજળી બનાવશે, ભલે તેનું આઉટપુટ થોડું ઓછું થઈ જાય.

  • શિયાળામાં સૂર્ય ઓછા સમય માટે નીકળે છે, તેથી ઉર્જા ઉત્પાદન ઘટી જાય છે.
  • નીચા તાપમાનને કારણે સોલર પેનલની કંડક્ટિવિટી (Conductivity) બહેતર બને છે. આનાથી તે સૂર્યપ્રકાશમાંથી વધુ વીજળી જનરેટ કરી શકે છે.
  • વધુ પડતી ગરમીમાં પેનલની કાર્યક્ષમતા વાસ્તવમાં ઘટી જતી હોય છે.

શું વરસાદમાં કામ કરે છે સોલર પેનલ?
અત્યારે ભારતમાં ચોમાસું દસ્તક આપવાનું છે. એવામાં ઘણા લોકો વિચારી રહ્યા હશે કે શું વરસાદમાં સોલર પેનલ વીજળી બનાવે છે? તેનો જવાબ છે કે સોલર પેનલ વરસાદમાં પણ કામ કરે છે. વરસાદથી પેનલ પર એટલી અસર પડતી નથી, જેટલી વાદળોને કારણે પડે છે. વાદળો સૂર્યપ્રકાશને સંપૂર્ણપણે બ્લોક કરી દે છે, જેના કારણે પેનલ પૂરતી વીજળી બનાવી શકતા નથી.

ટોપ સ્ટોરી

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડિજિટલની માયાજાળ
Hun To Bolish | હું તો બોલીશ | લાલિયાવાડી
Ahmedabad | સરખેજમાં ત્રિપલ અકસ્માતમાં સગીર ઈજાગ્રસ્ત
અમેરિકાના 100 ટકા ટેરિફ સામે નહીં ઝૂકે ભારત, રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે
PM Modi Birthday : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શર્મિષ્ઠા તળાવની આરતી, હાટકેશ્વર મંદિર સુધી કરી પદયાત્રા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નમાઝ દરમિયાન વિસ્ફોટ; 15 લોકોના મોત
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યમાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં જળબંબાકાર, 4 જિલ્લામાં રેડ એલર્ટ
નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા, ખાધો ગળેફાંસો
નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા, ખાધો ગળેફાંસો
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
TMCનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ: ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી માંગ્યા નવા નામ અને સિમ્બોલ
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવ્યું, 3-0થી જીતી સીરીઝ 
Embed widget