શોધખોળ કરો

Layoff : Xiaomi ગ્લોબલ વાઈસ પ્રેસિડેંટે સૌને ચોંકાવ્યા, લીધો આશ્ચર્યજનક નિર્ણય

મનુ જૈને 9 વર્ષના લાંબા સમય બાદ નોકરી છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના પોલિસી હેડ સિનેડ મેકસ્વીનીએ પણ રાજીનામું આપી દીધું હતું.

Manu Kumar Jain Resigns : છેલ્લા કેટલાક સમયથી આપણે ટેક ઉદ્યોગમાં છટણી જોઈ રહ્યા છીએ. મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢી નાખવામાં આવી રહ્યા છે, પરંતુ હવે એવા સમાચાર સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિએ પોતાની મરજીથી કંપની છોડી દીધી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ Xiaomiના વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈન છે.

મનુ જૈને 9 વર્ષના લાંબા સમય બાદ નોકરી છોડી દીધી છે. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના પોલિસી હેડ સિનેડ મેકસ્વીનીએ પણ રાજીનામું આપી દીધું હતું. રાજીનામા સાથે જોડાયેલી કઈ માહિતી મનુ જૈને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

મનુ જૈનનું ટ્વીટ

રાજીનામાની માહિતી આપતાં મનુ કુમાર જૈને ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે, હું નસીબદાર છું કે, છેલ્લા 9 વર્ષમાં મને એટલો પ્રેમ મળ્યો કે હવે અલવિદા કહેવું મુશ્કેલ થઈ ગયું છે. દરેકનો આભાર. આ પ્રવાસનો અંત અને નવા યુગની શરૂઆત છે.

મનુ જૈને કંપની સાથે જોડાયેલી આ વાતો કહી

જૈને તેમની નોંધમાં લખ્યું છે કે, Xiaomi તેમના કામના સમયગાળા દરમિયાન ભારતની નંબર વન સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે. કંપનીના મોટાભાગના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી ભારતમાં બનાવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, Xiaomiએ પણ 50 હજારથી વધુ નોકરીઓ આપી છે.

મનુ 2014માં Xiaomiમાં જોડાયા હતાં

મનુ જૈન વર્ષ 2014માં Xiaomi સાથે સંકળાયેલા હતા અને ત્યાર બાદ તેમણે ઘણી જવાબદારીઓ સંભાળી હતી. તેઓ 2014 થી 2017 સુધી ત્રણ વર્ષ માટે સ્માર્ટફોન બ્રાન્ડના ભારત ક્ષેત્રના મેનેજિંગ ડિરેક્ટર હતા. ત્યાર બાદ તેઓ કંપનીના પ્રમુખ પદ માટે ચૂંટાયા. વર્ષ 2023ની શરૂઆતમાં Xiaomiએ મનુ કુમાર જૈનના નેતૃત્વ હેઠળ ભારતમાં Redmi Note 12 સીરીઝ લોન્ચ કરી હતી. આ શ્રેણી હેઠળ Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro Plus સ્માર્ટફોન લોંચ કરવામાં આવ્યા હતા.

Xiaomi Layoff: વધુ એક ટેક કંપની કરશે છટણી, Xiaomi માં આટલા કર્મચારીઓની જશે નોકરી

વૈશ્વિક ટેક્નોલોજી બ્રાન્ડ Xiaomi એ તેના કર્મચારીઓ માટે છટણી કાર્યક્રમમાં કેટલાક ફેરફારો કર્યા છે. Xiaomiએ જણાવ્યું હતું કે કંપની સંસ્થાકીય પુનઃરચના અને કર્મચારી ઓપ્ટિમાઇઝેશનનો અમલ કરી રહી છે જે તેના કુલ કર્મચારીઓના 10 ટકાથી ઓછાને અસર કરશે. અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનમાં કોવિડ લોકડાઉન અને નબળી વૈશ્વિક આર્થિક સ્થિતિ વચ્ચે Xiaomi તેના કર્મચારીઓમાં 15 ટકાનો ઘટાડો કરી શકે છે.

કંપનીના પ્રવક્તાએ માહિતી આપી હતી

કંપનીના પ્રવક્તાએ IANS ને જણાવ્યું હતું કે, "Xiaomiએ તાજેતરમાં નિયમિત કર્મચારી ઓપ્ટિમાઇઝેશન અને સંસ્થાકીય સુવ્યવસ્થિતતા લાગુ કરી છે, જેમાં અસરગ્રસ્ત પક્ષ કુલ કર્મચારીઓના 10 ટકા કરતા ઓછો છે." પ્રવક્તાએ કહ્યું કે અસરગ્રસ્તોને "સ્થાનિક નિયમોના પાલનમાં" વળતર આપવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
ફોન ચાર્જમાં મુકતા જ બેંક એકાઉન્ટ થઈ જશે સાવ ખાલી, તમે પણ આ ભૂલ કરતાં હોય તો ચેતી જજો!
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
શું તમે પણ વાપરો છો Digital Wallet? જાણો તેના જોખમો
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ની ધમાકેદાર ઓફર! માત્ર 1 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 1 GB ડેટા, જાણો શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત
BSNL ધમાકા ઓફર! માત્ર 1 રુપિયામાં અનલિમિટેડ કોલિંગ, રોજ 1 GB ડેટા મળશે પરંતુ આ શરત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget