Air Pollution: માર્કેટમાંથી ખરીદો આ પાંચ ગેઝેટ્સ, જે તમને સતત ઝેરી બનતી હવાથી રાખશે દુર....
વધતા પ્રદૂષણથી પોતાને સુરક્ષિત રાખવા માટે તમે કેટલાક ગેજેટ્સનો સહારો લઈ શકો છો
![Air Pollution: માર્કેટમાંથી ખરીદો આ પાંચ ગેઝેટ્સ, જે તમને સતત ઝેરી બનતી હવાથી રાખશે દુર.... Top Five Gadgets: you can safe and avoid yourself from toxic air and air pollution with with these 5 gadgets Air Pollution: માર્કેટમાંથી ખરીદો આ પાંચ ગેઝેટ્સ, જે તમને સતત ઝેરી બનતી હવાથી રાખશે દુર....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/12/dc32805224edea3d0f90917f8e2916ff169976918532177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Air Pollution: રાજધાની દિલ્હી, અમદાવાદ સહિત દેશના અનેક વિસ્તારોમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે. પ્રદૂષણથી બચવા માટે, તમે નીચે દર્શાવેલ ગેજેટ્સનો ઉપયોગ કરી શકો છો. તમે ઘરે આનો ઉપયોગ કરી શકો છો. દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે પરંતુ દિલ્હી-એનસીઆરની હવા અત્યારથી જ ઝેરી બની ગઈ છે. ઘણી જગ્યાએ AQI 400ને પાર કરી ગયો છે. વધતા પ્રદૂષણને કારણે સરકારે દિલ્હીમાં શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. અન્ય પગલાં પણ લેવામાં આવ્યા છે.
વધતા પ્રદૂષણથી પોતાને સુરક્ષિત રાખવા માટે તમે કેટલાક ગેજેટ્સનો સહારો લઈ શકો છો. આ ગેજેટ્સ દ્વારા તમે તમારા ઘરની હવાને સાફ કરી શકો છો અને તેમાં રહેલા પ્રદૂષકોને ફિલ્ટર કરી શકો છો.
આ રહ્યાં પાંચ અમેઝિંગ ગેઝેટ્સ, જે તમને બચાવશે ઝેરી હવાથી....
એર પ્યુરીફાયર: તમે ડાયસન, ફિલિપ્સ સહિત અન્ય બ્રાન્ડમાંથી એર પ્યુરીફાયર ખરીદી શકો છો. એર પ્યુરીફાયર હવામાં હાજર ગંદકીને ઘટાડે છે અને તમને સ્વચ્છ હવા પ્રદાન કરે છે.
N99/FFP2 માસ્ક: જો તમારે કામ માટે ઘર છોડવું પડે, તો તમે N99 અથવા FFP2 માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ માસ્ક હવામાંથી ગંદકીને પણ ફિલ્ટર કરે છે અને તમને શ્વસન સંબંધી સમસ્યાઓથી બચાવે છે.
તમે વ્યક્તિગત હવા ગુણવત્તા સેન્સર અને હવા ગુણવત્તા મોનિટરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તેનો ઉપયોગ ઘરની અંદર અને બહાર બંને કરી શકો છો.
હ્યુમિડિફાયર: હ્યુમિડિફાયર હવામાં ભેજ ઉમેરીને અંદરની હવાની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે, જે પ્રદૂષકોને ઘટ્ટ થવા દે છે અને જમીન પર પાડી શકે છે. હ્યુમિડિફાયર ખાસ કરીને ધૂળ, પરાગ અને અન્ય કણોનું સ્તર ઘટાડવા માટે મદદરૂપ થઈ શકે છે.
ભારે પ્રદૂષણના સમયમાં, લોકો બ્રીથિંગ એનલાઇઝરનો ઉપયોગ કરીને શ્વસન સમસ્યાઓથી બચી શકે છે. આ સિવાય બ્રીથિંગ એનાલાઈઝર પણ તમને એલર્ટ આપે છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તો આ ઉપકરણ તરત જ તમને ચેતવણી આપે છે જેથી તમે તરત જ ડૉક્ટરની સલાહ લઈ શકો. બીજી બાજુ, જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય, તો તમે ઇન્હેલરનો પણ ઉપયોગ કરી શકો છો. અમારી સલાહ છે કે કોઈપણ ઉપકરણનો ઉપયોગ કરતા પહેલા તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)