શોધખોળ કરો

WhatsApp વધુ એક સિક્યોરિટી ફીચર પર કરી રહ્યું છે કામ, આ ફીચરથી તમારુ એકાઉન્ટ થઇ જશે એકદમ સિક્યોર

મેટા તેની સોશિયલ મીડિયા એપ્સમાં સમયાંતરે ઘણા અપડેટ્સ લાવે છે

WhatsApp Email Linking Feature: મેટા તેની સોશિયલ મીડિયા એપ્સમાં સમયાંતરે ઘણા અપડેટ્સ લાવે છે. આ અપડેટ્સનો હેતુ લોકોને પ્લેટફોર્મ પર સુરક્ષિત અનુભવ આપવાનો પણ છે. દરમિયાન, WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેની માહિતી વોટ્સએપના પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. વાસ્તવમાં કંપની ઈ-મેલ એકાઉન્ટને વોટ્સએપ એકાઉન્ટ સાથે લિંક કરવા માંગે છે. એટલે કે યુઝર્સને ઈમેલ એકાઉન્ટની માહિતી પણ આપવી પડશે. ઈમેલ દ્વારા કંપની એકાઉન્ટને વેરીફાઇ અને સિક્યોર રાખવામાં મદદ કરશે.

જે રીતે અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર લોગિન સમયે ઈમેલમાં નોટિફિકેશન આવે છે તેવી જ રીતે WhatsApp સાથે પણ થઈ શકે છે. હાલમાં, આ અપડેટ એન્ડ્રોઇડ બીટાના 2.23.16.15 વર્ઝનમાં જોવામાં આવ્યું છે. આવનારા સમયમાં કંપની તેને દરેક માટે રોલઆઉટ કરી શકે છે. હાલમાં આ માહિતી સામે આવી નથી કે કંપની સુરક્ષા માટે ઈમેલનો ઉપયોગ કેવી રીતે કરશે.

વોટ્સએપે જૂનમાં 66 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો

વોટ્સએપે જૂન મહિનામાં ભારતમાં 66 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. નવા IT નિયમ 2021 હેઠળ રિપોર્ટ જાહેર કરતાં કંપનીએ કહ્યું કે તેણે ભારતમાં કુલ 66,11,700 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાંથી 24,34,200 એકાઉન્ટ્સ પર કંપનીએ જ કોઈ ફરિયાદ વિના પ્રતિબંધ લગાવી દીધો છે. વાસ્તવમાં કંપની તે એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરે છે જે કોઈપણ ખોટી પ્રવૃત્તિમાં સામેલ છે. ભારતમાં 500 મિલિયનથી વધુ લોકો WhatsApp પર એક્ટિવ છે. જૂન મહિનામાં કંપનીને 7,893 ફરિયાદો મળી હતી, જેમાંથી કંપનીએ 337 વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

આ ફીચર પર પણ કામ ચાલી રહ્યું છે

WhatsApp કોલિંગ ઈન્ટરફેસ બદલવા જઈ રહ્યું છે. હાલમાં કંપની તેનું ટેસ્ટિંગ કરી રહી છે. ટૂંક સમયમાં જ તમને વોટ્સએપ પર ઇનકમિંગ કોલ આવવા પર ડિક્લાઇન અથવા આન્સરનો વિકલ્પ મળશે. તમે નોટિફિકેશનમાં જોઇને એક્ટિવ કોલ પરથી તેને રિસીવ અને ઇગ્નોર કરી શકશો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget