Hu to Bolish | હું તો બોલીશ | ક્યાં ભણીશું?
રાજ્યમાં 27, 28, 29 એમ ત્રણ દિવસ 21મો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે...સાથે કન્યા કેળવણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે...ગઈ વખતે ઉજ્વવળ ભવિષ્યની થીમ પર શાળા પ્રવેશોત્સવ કરાયો હતો...
આણંદ જિલ્લાના રામપુર ગામની પ્રાથમિક શાળા....ધોરણ 1થી 8ના 174 બાળકો બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર છે...જર્જરીત પ્રાથમિક શાળાનું નવનીકરણ ચાલી રહ્યું છે....પરંતુ પ્રશાસન આ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું ભૂલી ગયું...પરિણામે નવા સત્રથી બાળકો બહાર બેસીને ભણી રહ્યા છે...જ્યારે આ અંગે પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેમણે ભૂલ સ્વીકારી અને વૈકલ્પિક વ્યવસ્થા જલ્દીથી ઊભી કરવા જણાવ્યું....
ઉંઝા તાલુકાની ભુણાવ પ્રાથમિક શાળા.....ગાયકવાડ સમયની આ શાળા જર્જરિત બનતા હાલ સમારકામ ચાલી રહ્યું છે...એવામાં અહીં એક બાજુ શાળામાં છત નથી બીજી બાજુ શાળામાં ખુલ્લા વીજ વાયરો પાણીની ટાંકી પાસે લટકી રહ્યા છે...અને આ બેદરકારી વચ્ચે ધોરણ 1થી 8 સુધીના 300થી વધુ બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે....જ્યારે આ બેદરકારી અંગે મુખ્ય શિક્ષિકાને પૂછવામાં આવ્યું, તો જવાબ આપવાના સ્થાને ચાલતી પકડી...આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે
મહીસાગર જિલ્લાના લુણાવાડાની કણજાવ પ્રાથમિક શાળા...વર્ષ 2018થી આ શાળાના 6 ઓરડા જર્જરિત છે....હાલ અહીં એકમાત્ર ઓરડામાં ધોરણ 1થી 8ના 179 વિદ્યાર્થીઓને ભણાવાય છે...જો આ જર્જરિત ઓરડામાં એક વર્ગ ચાલતો હોય તો અન્ય વર્ગના વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે....શાળાના આચાર્યનું કહેવું છે કે અમે અનેક વખત નવા ઓરડાની મંજૂરી માટેની રજૂઆતો કરી છે પણ કોઈ રજૂઆતો સાંભળતું નથી...બાળકો ઠંડી હોય...ગરમી હોય..કે વરસાદ બહાર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે....અનેક વખત ચાલુ શાળાએ પોપડા ખરવાના બનાવો બન્યા છે....ગામના લોકોનું કહેવું છે કે, જો ભારે વરસાદ આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે....