Ahmedabad Plane Crash Big Breaking : ક્રેશ થયેલા પ્લેનને લઈ મુસાફરનો ચોંકાવનારો ખુલાસો
Ahmedabad Plane Crash Big Breaking : ક્રેશ થયેલા પ્લેનને લઈ મુસાફરનો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં 265 લોકોના મોત થયા છે. ત્યારે આ પ્લેન ક્રેશને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. શરદભાઈ રાવલ નામના મુસાફરે ગત પહેલી જૂને આમાં મુસાફરી કરી હતી. તેમણે એબીપી અસ્મિતા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, એક તારીખે આ એરઈન્ડિયાની આ ફ્લાઈટમાં લંડન ગયા હતા ત્યારે પણ ખામી સર્જાઈ હતી . ફ્લાઈટ 1 તારીખે ઉપડવાની હતી . સમયસર એરપોર્ટ પહોંચ્યા હતા. ચેકઈન કર્યુ . એરહોસ્ટેસ વાંવાર આવીને કહી જાય કે થોડી વારમાં ફ્લાઈટ ઉપડશે. બાથરૂમમાં ગયા ક્યાં અંદારૂ થઈ ગયુ. ઈલેક્ટ્રીક ફોલ્ટ હોવાની વાત આવી. એક પેસેન્જરે તો ઉગ્ર બનીને પ્લેનમાંથી ઉતરી જવાની વાત કરી. 3 થી 4 કલાક પેસેન્જરો પ્લેનમાં બેસી રહ્યા અને પછી કેન્સલ કરી . હોટલમાં મોકલ્યા હતા અને પેક લંચ આપવામાં આવ્યુ હતુ.


















