Bhavnagar Power Cut : ભરઉનાળે આ વિસ્તારોમાં ત્રણ દિવસ રહેશે વીજકાપ, જુઓ વીડિયોમાં
Bhavnagar Power Cut : ભરઉનાળે આ વિસ્તારોમાં ત્રણ દિવસ રહેશે વીજકાપ, જુઓ વીડિયોમાં
ભરઉનાળે ભાવનગર શહેરમાં વધુ ત્રણ દિવસ વીજકાપ જાહેર કરતા લોકો ગરમીથી શેકાશે..ઉનાળામાં 14 થી 16 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ વિવિધ વિસ્તારમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.. 14 એપ્રિલે માધવહીલ, અષ્ટવિનાયક, ડોક્ટર હાઉસ, રસાલા કેમ્પ અને ગુરુદ્વારા સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.. 15 એપ્રિલે ગિરનાર સોસાયટી, રામદેવનગર, ગોકુલનગર, અમર સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.. 16 એપ્રિલે ગઢેચી રોડ, શરમાંળિયા દાદાની દેરી, કુંભારવાડા નો બંને બાજુનો વિસ્તાર અને બીએમસી ડ્રેનેજ સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે. ત્રણ દિવસ દરમિયાન ઉપરોક્ત વિસ્તારોમાં સવારે 6 થી 11 વાગ્યા સુધી વીજકાપ રહેશે.. મેઈન્ટનન્સની કામગીરીને લઈને પીજીવીસીએલ દ્વારા વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે.




















