Vikram Thakor : કેજરીવાલે વિક્રમ ઠાકોરને મળવા બોલાવ્યા, શું કર્યો ખુલાસો?
Vikram Thakor : કેજરીવાલે વિક્રમ ઠાકોરને મળવા બોલાવ્યા, શું કર્યો ખુલાસો?
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર (Vikram Thakor) દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર આમ આદમી પાર્ટી (aam aadmi party - AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના કલાકારો માટે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારબાદ તેઓ પણ વિક્રમભાઈને મળ્યા હતા.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ દિલ્હી ગયા હતા ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલને પણ આ અંગે વાત કરી હતી અને વિક્રમ ઠાકોરને ગુજરાતના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાવ્યા હતા. આ સાંભળીને અરવિંદ કેજરીવાલે પણ વિક્રમ ઠાકોર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું.
ઈસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરી હતી કે આ મુલાકાત કોઈ રાજકીય હેતુથી નહીં હોય, પરંતુ માત્ર સમાજના વિકાસ માટે હશે. તેમણે ગુજરાતમાં કેટલાક ચોક્કસ સમાજનો જ વિકાસ થયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ અંતમાં જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોર જ્યારે દિલ્હી જશે ત્યારે તેઓ અરવિંદ કેજરીવાલને ચોક્કસ મળશે.




















