PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીના હસ્તે કોબામાં જૈન મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું હતું. મ્યુઝિયમમાં 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન છે. વિવિધ રાજ્યોની અનમોલ વિરાસત સમાન કલાકૃતિનો સંગ્રહ છે.
અમદાવાદમાં ટૂંક સમયમાં ખુલવા જઈ રહેલું એક અનોખું મ્યુઝિયમ ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસાને નવા દ્રષ્ટિકોણથી રજૂ કરશે. આ મ્યુઝિયમનું નામ પ્રાચીન ભારતના વિખ્યાત શાસક સમ્રાટ સંપ્રતિના સન્માનમાં રાખવામાં આવ્યું છે, જેમણે જૈન ધર્મના પ્રસાર અને અહિંસાના સિદ્ધાંતોને જીવનમાં ઊતાર્યા હતા.આ મ્યુઝિયમ માત્ર ઇતિહાસનું પ્રદર્શન નથી, પરંતુ તે એક અનુભૂતિ છે. જે મુલાકાતીઓને હજારો વર્ષ જૂની સંસ્કૃતિ સાથે જોડે છે. અહીં પ્રાચીન કાળના જીવનમૂલ્યો, શિલ્પકળા, અને ધાર્મિક પરંપરાઓને આધુનિક પ્રેઝન્ટેશન ટેક્નોલોજી દ્વારા જીવંત બનાવવામાં આવશે. ખાસ કરીને જૈન ધર્મની અહિંસા, ત્યાગ અને આધ્યાત્મિક શાંતિ જેવી મૂલ્યોને સ્પર્શી શકાય તે રીતે રજૂ કરવામાં આવશે. 23 મી એપ્રિલથી જનતા માટે ખુલનારા આ મ્યુઝિયમથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને એક નવી જ શૈક્ષણિક અને આધ્યાત્મિક અનુભૂતિ મળશે. સંશોધકો માટે પણ આ સ્થળ મહત્વપૂર્ણ બની રહેશે, જ્યાં તેઓ પ્રાચીન ભારતીય દર્શન અને જીવનશૈલી પર વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે.






















