શોધખોળ કરો
ગુજરાત યુનિવર્સિટીએ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓને શું આપી મોટી રાહત?
આગામી ૨૯મી ડિસેમ્બરથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની શરૂઆત થવાની છે. ત્યારે યુનિવર્સિટી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. આ બંને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે, જે કોલેજમાં તેઓ અભ્યાસ કરે છે, એ જ કોલેજમાં તેમના પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે. જ્યારે આ બે જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં રહેતા વિદ્યાર્થીઓએ અમદાવાદ પરીક્ષા આપવા ન આવવું પડે, તે માટે તેમના સ્થાનિક જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. જે માટે યુનિવર્સિટીએ અગાઉ તેમને પરીક્ષા કેન્દ્રની 45 શહેરોની યાદી જારી કરી હતી, જે પૈકી વિદ્યાર્થીઓએ તેમની અનુકૂળતા મુજબ પરીક્ષા કેન્દ્ર પસંદ કર્યા છે.
ગુજરાત
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
આગળ જુઓ


















