ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર ડોક્ટર ધવલ ગોધાણીના વિચાર
ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર સેલસ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો.ધવલ ગોધાણી, ભાગ્ય મશીન ટૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર જતિન શાહ, જિડેન INCના ડો.જિગર ઠાકરે અને હેત એન્ડ કેર કંપની મેનેજિંગ ડિરેક્ટપ કપિલ ઠાકરે મીડિયા સમક્ષ તેમના વિચાર રજૂ કર્યાં હતા.
કહેવામાં આવે છે કે કોઈપણ દેશ કે રાજ્ય માટે તેના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું ખૂબ મહત્વ હોય છે. કારણે આ ઉદ્યોગો રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે સાથે જ રાજ્ય માટે મોટી આવક પણ ઉભી કરે છે. આજે ગુજરાત દેશનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. ગુજરાતના વિકાસમાં એમએસએમઈની ખૂબ મહત્વની ભૂમિકા છે. એમએસએમઈ રાજ્યની કરોડરજ્જૂ સમાન છે. ગુજરાતના આ જ ઉદ્યોગમાંથી અમે કેટલાક ચહેરા પસંદ કર્યા છે જેમની પ્રેરક કથા, ઈન્સપાયરીંગ સ્ટોરી વિશ્વ સમક્ષ પહોંચાડવા તેનું તેનું સન્માન કરવામાં આવ્યું હતું.





















