Jain Muni Viral Video Controversy | જૈન મુનીનો બફાટ, સંતોમાં ભારે આક્રોશ | Abp Asmita
જૈન મુનિ વિજય બોધિસૂરીશ્વરજી મહારાજનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ નવરાત્રી ઉત્સવ વિશે વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. વીડિયોમાં જૈન સંત નવરાત્રીને 'લવરાત્રિ' તરીકે સંબોધે છે અને તેના નકારાત્મક પરિણામો વિશે ચેતવણી આપે છે.
મુનિ જણાવે છે કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લોકો દરરોજ અલગ અલગ કપડાં, મેકઅપ અને શોખ ધરાવે છે. તેમના મતે, નવરાત્રી પછીના ત્રણ મહિનામાં ગર્ભપાત (એબોર્શન) માટેની લાંબી કતારો જોવા મળે છે. મુનિએ એક ડૉક્ટરનો હવાલો આપતા કહ્યું કે નવરાત્રી બાદ ગર્ભપાતના કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે.
આ વીડિયો સામાજિક માધ્યમો પર ઝડપથી ફેલાયો છે અને ઘણા લોકોએ જૈન મુનિના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે.

















