PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
સોમનાથ મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો છે. 90 મીટર ઊંચી ક્રેઈનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાયા બાદ મંત્રોચ્ચાર સાથે મંદિરના શિખર પર અભિષેક કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં વડાપ્રધાન મોદીએ પૂજા અર્ચના કર્યા બાદ શિવલિંગને જળ અર્પણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં આયોજિત "અમૃત મહોત્સવ" કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર દેશભરના 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી કુંભાભિષેક કરવામાં આવ્યો હતો. આ કુંભાભિષેક માટે એક વિશેષ કળશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમારોહ દરમિયાન 11 તીર્થસ્થળોમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી મંદિરના 90-મીટર ઊંચા શિખર પર અભિષેક કરવામાં આવ્યો હતો.



















