શોધખોળ કરો
Advertisement
PM મોદીના હસ્તે ગીરનાર રોપ-વે, કિસાન સૂર્યોદય, UN મહેતા કાર્ડિયાક હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ત્રણ મોટી ભેટ આપી હતી. વડાપ્રધાન મોદીના હસ્તે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવે, કિસાન સૂર્યોદય યોજના અને ભારતની સૌથી મોટી હ્રદયરોગ હૉસ્પિટલનું ઈ લોકર્પણ કર્યું હતું. ગિરનાર રોપવેથી 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપી શકાશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસશે. આ રોપવેમાં 800 લોકો પ્રતિ કલાકમાં મુસાફરી કરી શકશે. સાથે જ કિસાન સૂર્યોદય યોજનાનું મોદીના હસ્તે ઈ-લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ખેડૂતોને સવારના 5થી રાત્રીના 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત જૂનાગઢ, દાહોદ, ગીર સોમનાથ અને પાટણ જિલ્લાના 1000થી વધુ ગામડાને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 17.25 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. તે સિવાય વડાપ્રધાન મોદીએ યુ.એન.મહેતામાં ભારતની સૌથી મોટી હ્રદયરોગ હૉસ્પિટલનું ઈ લોકર્પણ કર્યું હતું. નવી અદ્યતન સુવિધા સાથે 1251 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે. જેમાં અદ્યતન પીડિયાટ્રીક,નિયોનેટલ અને એડલ્ટ કાર્ડિયાક ઓપરેશનથિયેટર.. હૃદય અને ફેફસાના ટ્રાંસપ્લાંટ સહિત ઓપરેશન થિયેટરની સુવિધા,અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને ઈલેક્ટ્રોફિઝીલોજીની સુવિધા સાથે મેકિનિકલ એલિવેટર કાર પાર્કિંગની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે
દેશ
J&K Election updates | 6 જિલ્લાની 26 બેઠકો માટે આજે ચૂંટણી જંગ, દિગ્ગજોના ભાવિ EVMમાં કેદ
Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહાર
One Nation, One Election | વન નેશન, વન ઇલેક્શનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Jammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગ
Lucknow Building Collapse| લખનઉમાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતાં 8ના કરૂણ મોત, 28 ઇજાગ્રસ્ત
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion