શોધખોળ કરો

Air India flight emergency landing Chennai : એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 5 સાંસદો હતા સવાર

Air India flight emergency landing Chennai : એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 5 સાંસદો હતા સવાર

તિરુવનંતપુરમથી નવી દિલ્હી રવિવારે (૧૦ ઓગસ્ટ) આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે શંકાસ્પદ ટેકનિકલ ખામી જણાતાં તેને ચેન્નઈ ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઇન્સે પુષ્ટી કરી હતી કે ફ્લાઇટ નંબર A12455નું ચેન્નઈમાં સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને વિમાનની જરૂરી તપાસ કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિત ઘણા સાંસદો પણ આ વિમાનમાં સવાર હતા.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 10 ઓગસ્ટે તિરુવનંતપુરમથી દિલ્હી જતી AI2455ના ક્રૂને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા અને ખરાબ હવામાનને કારણે સાવચેતી રૂપે ફ્લાઇટને ચેન્નઈ ડાયવર્ટ કરવી પડી હતી. વિમાન ચેન્નઈમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ શું કહ્યું?

તેમણે કહ્યું હતું કે અસરગ્રસ્ત મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે. ચેન્નઈમાં અમારા સહયોગીઓ મુસાફરોને તેમની અસુવિધા ઓછી કરવા માટે સહાય પૂરી પાડી રહ્યા છે અને મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છે. ઘણા સાંસદો પણ આ વિમાનમાં સવાર હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે.સી. વેણુગોપાલે સોમવારે (11 ઓગસ્ટ, 2025) X પર પોસ્ટ કરી હતી કે ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 2455, જેમાં હું, અનેક સાંસદો અને સેંકડો મુસાફરો સવાર હતા. ટેકઓફ કર્યાના થોડા સમય પછી અમને અભૂતપૂર્વ ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો. લગભગ એક કલાક પછી કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નઈ તરફ ડાયવર્ટ કર્યું હતું.

વિમાન 2 કલાક સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું: વેણુગોપાલ

વેણુગોપાલે કહ્યું કે લગભગ એક કલાક પછી કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નઈ તરફ ડાયવર્ટ કરવાની વાત કરી હતી. લગભગ બે કલાક સુધી વિમાન હવામાં ચક્કર લગાવતું રહ્યું અને લેન્ડિંગની મંજૂરીની રાહ જોતા રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું કે એ જ રનવે પર બીજું વિમાન હતું. તે જ ક્ષણે કેપ્ટનના તાત્કાલિક નિર્ણયથી વિમાનમાં સવાર તમામ લોકોના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

જવાબદારી નક્કી કરવી જોઈએ જેથી આવી ભૂલ ફરીથી ન થાય: કે.સી. વેણુગોપાલ

તેમણે કહ્યું કે અમે સ્કિલ અને નસીબથી બચી ગયા હતા પરંતુ મુસાફરોની સલામતી નસીબ પર આધાર રાખી શકાતી નથી. હું DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરું છું કે તેઓ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરે, જવાબદારી નક્કી કરે અને ખાતરી કરે કે આવી ભૂલ ફરી ક્યારેય ન થાય.

કયા સાંસદો વિમાનમાં સવાર હતા?

સમાચાર એજન્સી IANS અનુસાર, આ એર ઇન્ડિયા વિમાનમાં કેરળના સાંસદ અને કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, UDF કન્વીનર અદૂર પ્રકાશ, વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ કે. સુરેશ, કે. રાધાકૃષ્ણન અને તમિલનાડુના સાંસદ રોબર્ટ બ્રુસ સવાર હતા.

સમાચાર વિડિઓઝ

Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
Embed widget