શોધખોળ કરો
અમરેલી: ચાંદગઢ ગામે સમૂહલગ્ન અટકાવવાને લઈ જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમરે સવાલ ઉઠાવ્યા, જુઓ વીડિયો
અમરેલીમાં ચાંદગઢ ગામે સમૂહલગ્નનું આયોજન થયું પરંતુ જાન લીલા તોરણે પાછી ફરતા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમરે સવાલ ઉઠાવ્યા છે. તેમણે લગ્ન બંધ રદ થવાને હિંદુ સંસ્કૃતિમાં ગંભીર બાબત ગણાવી છે. જેનીબેને આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓના કાર્યક્રમોમાં પોલીસ પ્રોટેક્શન કરે છે અને ગરીબ માણસોને પ્રશાસન હેરાનગતિ કરે છે. તેમણે સ્વિકાર્યું કે આયોજકોની ભૂલ છે પરંતુ જાન લગ્ન વિના પાછી જાય તે સંસ્કૃતિનું અપમાન કહેવાય.
આગળ જુઓ





















