Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
જેસીબી કોન્ટ્રાક્ટર મોહસીન ફ્રુટવાલાએ પણ એબીપી અસ્મિતા સાથે વાત કરતા ડિમોલિશન ખોટુ થયુ હોવાનો દાવો કર્યો. નોટિસ આપ્યા વગર કરવામાં આવેલા ડિમોલિશનને મોહસીન ફ્રુટવાલાએ ગેરકાયદેસર ગણાવ્યું.
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલા નાસીરનગરમાં ભુતીયા ડિમોલિશન હવે સ્થાનિક વહીવટી પ્રશાસન અને શાસકો માટે ગળાની ફાંસ બની ગયુ છે.. જે સાહેબને આપે ડિમોલિશનમાં મનપાનો હાથ ન હોવાનું જણાવતા સાંભળી રહ્યા છો તે સાહેબ છે સેન્ટ્રલ ઝોનના ચીફ ઈજનેર જયાંગ રામજીવાલા.. ડિમોલિશન વખતે હાજર ન હોવાના બણગા ફુંકતા અધિકારીના વીડિયો જુઓ. માથા પર રૂમાલ બાંધીને જયંગ રામજીવાલા ડિમોલિશનની દેખરેખ રાખી રહ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.. એટલુ જ નહીં.બિલ્ડરને રસ્તો આપવાના નામે 100 મકાનો તોડી પાડ્યા હોવાનો કૉંગ્રેસનો આરોપ છે. કૉંગ્રેસના આરોપો બાદ મહાનગરપાલિકાએ હવે બિલ્ડરને નોટિસ પણ ફટકારી છે. મંજૂરી ન હોવા છતા કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કરવા માટેનો નોટિસમાં ઉલ્લેખ છે. ત્યારે 100 જેટલા મકાનો કોણે તોડી પાડ્યા તે હજુ પણ રહસ્ય જ છે.. આ જ વિવાદની વચ્ચે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર જયાંગ રામજીવાલા આરોપોથી બચવા માટે રજા પર ઉતરી ગયા છે.. ડિમોલિશન માટે જેસીબી ભાડે આપનાર મોહસીન ફ્રુટવાળાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે.. જેમાં મનપાના લેબર કોન્ટ્રાક્ટર તેજુભાઈએ જેસીબી ભાડે મગાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો..

















