ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અરુગુનોવો ગામના પ્રત્યક્ષદર્શીઓએ સળગતા વિમાનને આકાશમાંથી પડતું જોયું હતું. જો કે, હજુ સુધી દુર્ઘટનાના કારણો વિશે જાણકારી મળી નથી. એક અંદાજ અનુસાર, ખરાબ વાતાવરણ અને પાયલટથી થયેલી ચૂકને પણ આ દુર્ઘટનાનું સંભવિત કારણ ગણીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
2/7
અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક હિસ્સો મળી આવ્યો છે. જ્યારે ઇમરજન્સી મિનિસ્ટ્રીએ કહ્યું કે, દુર્ઘટનાસ્થળ પર એક ટીમને મોકલી આપવામાં આવી છે.
3/7
4/7
આ પ્લેન કયા કારણોસર ક્રેશ થયું તેનું કારણ હજુ સામે આવ્યું નથી. રશિયન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી આ પ્લેનના ક્રેશ થવા પાછળનું કારણ વાતાવરણ અને પાઈલોટ એરર પણ હોય શકે છે તેવું જણાવી રહી છે.
5/7
ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, ઘટનાવાળા સ્થળે કેટલાંક સાક્ષીઓએ એરક્રાફ્ટમાંથી આગના ગોળાની માફક પડતા જોયું હતું. તેમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચ્યાંની સંભાવના નથી. જોકે, હાલ લોકોના મોતની અધિકારીક પુષ્ટી નથી કરવામાં આવી.
6/7
મોસ્કો: રશિયામાં પેસેંજર વિમાનની મોટી દુર્ઘટના સર્જાઇ છે. રશિયન એરલાઇન સારાતોવનું વિમાન મોસ્કો પાસે ટેકઓફ થયા પછી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં 61 મુસાફરો સવાર હતા અને આ દુર્ઘટનામાં તમામ યાત્રીઓ અને ક્રૂ મેંમર્સ સહિત 71 લોકોના મોત થયા છે તેવું રશિયન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.
7/7
મીડિયાની જાણકારી મુજબ વિમાને મોસ્કો એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. વિમાન રડારથી ગાયબ થયા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી. ઈમરજન્સી સેવાઓના સુત્રોએ જણાવ્યું કે પ્લેન ક્રેશ થયું છે. વિમાનમાં સવાર મુસાફરોમાંથી કોઈ બચ્યું નથી.