શોધખોળ કરો
ઇમરાન ખાન માટે ખાસ ભેટ લઈને પાકિસ્તાન પહોંચ્યા નવજોત સિંહ સિદ્ધુ, કાલે યાજાશે શપથ ગ્રહણ સામરોહ
1/4

સિદ્ધુએ પાકિસ્તાનના લોકતંત્રમાં ચૂંટણી બાદ આવેલા બદલાવનું સ્વાગત કરતા કહ્યું કે, ઈમરાન ખાને બન્ને દેશો વચ્ચે શાંતિ માટેની પહેલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે, ભારતના સદભાવના દૂત તરીકે પ્રેમ અને શાંતિનો સંદેશો લઈને પાકિસ્તાન આવ્યો છું. તેમણે કહ્યું, આ રાજનેતા તરીકે નહીં પણ એક મિત્ર તરીકે આવ્યો છું, હું અહીં મારા મિત્રની ખુશીમાં સામેલ થવા આવ્યો છું,
2/4

ઇમરાન ખાન માટે ભેટ આપવા માટે શું લાવ્યા છે તે સવાલ પર સિદ્ધુએ કહ્યું, હું ખાન સાહેબ માટે કાશ્મીરી શાલ લાવ્યો છું. આ પહેલા પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેઓએ અંગત કારણ દર્શાવી આમંત્રણ સ્વીકાર્યું નહોતું.
Published at : 17 Aug 2018 09:43 PM (IST)
View More





















