શોધખોળ કરો
કૉંગોના ડૉ. ડેનિસ મુકવેગે અને ઇરાકની નાદિયા મુરાદને 2018નો શાંતિનો નોબલ પુરસ્કાર
1/4

ઓસ્લો: 2018નો નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. ડેનિસ મુકવેગે અને નાદિયા મુરાદને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ બન્નેને યૌન હિંસાને યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવા પર રોક લગાવવાના પ્રયાસ માટે અને યૌન હિંસા વિરુદ્ધ મહત્વનું યોગદાન તથા મહિલા અધિકારીઓ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
2/4

જ્યારે 25 વર્ષીય ઇરાકી મહિલા નાદિયા મુરાદે યજીદી સમુદાયમાંથી આવે છે. નાદિયા મુરાદને 2014માં ઇસ્લામિક સ્ટેટના આતંકીઓએ અપહરણ કરી લીધી હતી. અને ત્યાંથી ભાગે તે પહેલા ત્રણ મહીના સુધી સેક્સ ગુલામ તરીકે રાખવામાં આવી હતી. નાદિયાએ પોતાની અને અન્યો સાથે થયેલા દુર્વ્યવહાર વિશે લોકોને જાણ કરી છે. પોતાની સાથે થયેલા અત્યાચારોનું વર્ણન કરવા અને અન્ય પીડિતો તરફથી બોલવા માટે તેણે અસાધારણ હિંમત દર્શાવી છે.
Published at : 05 Oct 2018 05:39 PM (IST)
View More




















