શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નોબેલ વિજેતા ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક વીએસ નાયપોલનું 85 વર્ષની વયે નિધન
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12080329/180811192251-vs-naipaul-super-tease.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![નવી દિલ્હી: સાહિત્યનો નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક વીએસ નાયપૉલનું 85 વર્ષની વયે રવિવારે સવારે નિધન થઈ ગયું છે. તેમણે લંડનમાં સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. વિદ્યાધર સૂરજ પ્રસાદ નાયપૉલનો જન્મ 17 ઓગસ્ટ 1932ના ત્રિનિડાડના ચગવાનસમાં થયો હતો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12080338/VS_Naipaul_650.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હી: સાહિત્યનો નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય મૂળના પ્રસિદ્ધ લેખક વીએસ નાયપૉલનું 85 વર્ષની વયે રવિવારે સવારે નિધન થઈ ગયું છે. તેમણે લંડનમાં સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. વિદ્યાધર સૂરજ પ્રસાદ નાયપૉલનો જન્મ 17 ઓગસ્ટ 1932ના ત્રિનિડાડના ચગવાનસમાં થયો હતો.
2/3
![નાયપૉલે ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓએ સાહિત્યની દુનિયામાં ખૂબજ પ્રસિદ્ધિ મેળવી હતી. ‘એ બેન્ડ ઈન ધ રિવર અને અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ’ તેમની પ્રખ્યાત કૃતિઓ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12080334/skynews-vs-naipaul-british-author_4387548.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાયપૉલે ઑક્સફોર્ડ વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો હતો. તેઓએ સાહિત્યની દુનિયામાં ખૂબજ પ્રસિદ્ધિ મેળવી હતી. ‘એ બેન્ડ ઈન ધ રિવર અને અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ’ તેમની પ્રખ્યાત કૃતિઓ છે.
3/3
![ઉલ્લેખનીય છે કે, નાયપોલને 1971માં બુકર પ્રાઈઝ અને વર્ષ 2001માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયપોલે પોતાના સાહિત્ય જીવનમાં 20થી વધુ પુસ્તકો લખી છે. અને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન માટે તેમને દુનિયાભરમાં અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 2008માં ધ ટાઈમ્સે 50 મહાન બ્રિટિશ લેખકોની યાદીમં નાયપૉલને સાતમું સ્થાન આપ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/12080329/180811192251-vs-naipaul-super-tease.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, નાયપોલને 1971માં બુકર પ્રાઈઝ અને વર્ષ 2001માં સાહિત્ય માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયપોલે પોતાના સાહિત્ય જીવનમાં 20થી વધુ પુસ્તકો લખી છે. અને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન માટે તેમને દુનિયાભરમાં અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 2008માં ધ ટાઈમ્સે 50 મહાન બ્રિટિશ લેખકોની યાદીમં નાયપૉલને સાતમું સ્થાન આપ્યું હતું.
Published at : 12 Aug 2018 08:08 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)