શોધખોળ કરો
મોદીના ભાષણ પર PAKનો પ્રહાર- આ કાશ્મીરથી ધ્યાન ભટકાવવા અને અમને બદનામ કરવાનો પ્રયત્ન
1/4

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદન જાહી કરીને કહ્યું કે, ભારત કાશ્મીરના લોકો પર અત્યાચાર કરી રહ્યું છે. મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં નથી આવતા. નિવેદન અનુસાર જુલાઈમાં કાશ્મીરી યુવા નેતા બુહરાન વાણીની હત્યા બાદ જ્યારે ત્યાંના લોકોએ અવાજ ઉઠાવ્યો તો અત્યાચાર વધી ગયો. વિતેલા 75 દિવસમાં કાશ્મીરમાં અંદાજે 100 લોકો શહીદ થયા, કેટલાક પોતાની આંખ ગુમાવી તો હજારો લોકો ઘાયલ પણ થયા.
2/4

ઇસ્લામાબાદઃ ઉરી આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે પાકિસ્તાને કહ્યું કે, ભારત વિશ્વનું ધ્યાન કાશ્મીરથી હટાવવા અને તેને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનની પ્રતિક્રિયા મોદીના શનિવારના કેરલના કોઝિકોડમાં આપવામાં આવેલ ભાષણ બાદ આવી છે. ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, દેશ 18 જવાનોની શહીદી બેકાર નહીં જાય. રવિવારે પણ મન કી બાદમાં પણ મોદીએ કહ્યું કે ઉરીના દોષિતોને છોડવામાં નહીં આવે.
Published at : 26 Sep 2016 08:10 AM (IST)
View More





















