શોધખોળ કરો
PICS: તુર્કીમાં રશિયાના રાજદૂતની ગોળી મારી કરાઈ હત્યા, લાગ્યા અલ્લાહૂ-અકબરના નારા
1/3

હથિયારધારી શખ્સે નારા લગાવ્યા હતા કે એલેપ્પોને ન ભૂલો, સીરિયાને ન ભૂલો. તેણે અલ્લાહૂ-અકબરના નારા પણ લગાવ્યા હતા. હુમલો કરનારા વ્યક્તિનું નામ મેવલુત મેર્તે એડિન્ટાસ છે. તેણે આર્ટ ગેલેરીમાં પ્રવેશવા માટે પોલીસ આઈડી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. મેવલુત મેર્ત એડિન્ટાસ અંકારામાં પોલીસ ઓફિસર હતો. તુર્કી મીડિયાના અહેવાલ મુજબ આ હુમલાખોરને ઠાર મરાયો છે. આ હુમલામાં બીજા લોકો પણ ઘાયલ થયા છે.
2/3

ઉલ્લેખનીય છે કે રશિયા સીરિયામાં ચાલી રહેલા યુદ્ધમાં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સરકારનું સમર્થન કરી રહ્યુ છે. જેના કારણે તુર્કી અને રશિયામાં તણાવ છે. સીરિયાની સરકારનું સમર્થન કરી રહેલા રશિયા વિરૂદ્ધ ઈસ્તાંબુલમાં રશિયાના દૂતવાસ બહાર પ્રદર્શન પણ થયા હતા. તુર્કીના રાષ્ટ્રપતિ રેચૈપ તૈયપ અર્દોઆને કહ્યું છે કે આ હુમલો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવાના ઈરાદાથી કરાયો છે. રાષ્ટ્રપતિ અર્દોઆને આ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો તુર્કી અને રશિયાના સંબંધો ખરાબ કરવા માગે છે. તેમના ઈરાદામાં તે સફળ નહિ થાય. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે આ હુમલો તુર્કી અને રશિયા વચ્ચેના સામાન્ય દ્વિપક્ષીય સંબંધ અને સીરિયાની શાંતિ પ્રક્રિયામાં ભંગ પાડવા માટે કરવાના આશયથી કરાયો છે.
Published at : 20 Dec 2016 10:30 AM (IST)
Tags :
TurkeyView More






















