![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Kusum Yojana: ખેડૂતોને સબસિડી પર મળશે આ કૃષિ સાધનો, કમાણી પણ થશે બમણી
PM Kusum Yojana Benefits: ખેતીને સરળ બનાવવા માટે સરકાર દ્ધારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે
![PM Kusum Yojana: ખેડૂતોને સબસિડી પર મળશે આ કૃષિ સાધનો, કમાણી પણ થશે બમણી PM Kusum Yojana Benefits: Know About PM-KUSUM scheme, Online Apply PM Kusum Yojana: ખેડૂતોને સબસિડી પર મળશે આ કૃષિ સાધનો, કમાણી પણ થશે બમણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/cb6646fff82293b44dd43b6c1852746c1694752840701666_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Kusum Yojana Benefits: ખેતીને સરળ બનાવવા માટે સરકાર દ્ધારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક યોજના પીએમ કુસુમ યોજના છે. આ યોજના હેઠળ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે ખેડૂતોને નાણાકીય સહાય અને ટેકનોલોજીની સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતો પાણીનો સંગ્રહ કરી શકે છે અને સોલાર પંપ અને સૌર ઉર્જા સિસ્ટમનો ઉપયોગ કરીને તેમના પાકને સિંચાઈ આપી શકે છે. યોજના દ્વારા ખેડૂતોને સબસિડી પર સોલાર પંપ આપવામાં આવી રહ્યા છે.
पीएम कुसुम योजना के तहत किसानों को सौर ऊर्जा के प्रयोग हेतु आर्थिक सहायता एवं तकनीकी समर्थन प्रदान किया जाता है। इस योजना के माध्यम से किसान सौर पंप और सौर ऊर्जा प्रणालियों का उपयोग कर अपनी खेती में जल संचयन और सिंचाई कर सकते हैं।#agrigoi #PMKUSUM #solarenergy #solarpanels pic.twitter.com/ObmdFFgGds
— Agriculture INDIA (@AgriGoI) September 13, 2023
પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ ખેડૂતોને 60 ટકા સબસિડી પર સોલર પંપ મળે છે. ખેડૂતોની સાથે આ પંપ પંચાયતો અને સહકારી મંડળીઓને પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય સરકાર તેમના ખેતરની આસપાસ સોલાર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખર્ચના 30 ટકા સુધીની લોન આપે છે. તેથી ખેડૂતોએ આ પ્રોજેક્ટનો માત્ર 10 ટકા જ ખર્ચ કરવો પડશે. આ યોજના દ્વારા ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. જ્યારે હાલમાં ખેડૂતોએ ઇલેક્ટ્રિક અથવા ડીઝલ પંપનો ઉપયોગ કરીને સિંચાઈ પર વધુ પૈસા ખર્ચવા પડે છે.
આ વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરો
ખેડૂતો સોલાર પ્લાન્ટ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે. વિભાગ 3 રૂપિયા 7 પૈસાના ટેરિફ પર વીજળી ખરીદશે. આ રીતે ખેડૂતો ઘરે બેઠા વર્ષે ચારથી પાંચ લાખ રૂપિયા કમાઈ શકે છે. ખેડૂતો pmkusum.mnre.gov.in પર જઈને સબસિડી પર આ સોલાર પંપ માટે અરજી કરી શકે છે. ખેડૂતો તેમના રાજ્યોના વીજળી વિભાગ પાસેથી યોજના વિશે વધુ માહિતી મેળવી શકે છે. ખેડૂત ભાઈઓ PM કુસુમ યોજનાની વેબસાઈટ પર જઈને વધુ માહિતી મેળવી શકે છે.
પીએમ કુસુમ યોજના હેઠળના લાભો
-સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે નાણાકીય સહાય મેળવો
-ઓછા ખર્ચે સારી સિંચાઈ
-વીજ પુરવઠો
-પ્રદૂષણ નિયંત્રણ
-આર્થિક સ્વતંત્રતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)