શોધખોળ કરો

Gandhinagar News: ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 4 લાખથી વધુ લોકોએ લીધો ખોટો લાભ, સરકાર કરશે વસૂલાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના મામલે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો ઝડપાયા છે. જાણીએ શું છે સમગ્ર કૌભાંડ

ગાંધીનગર:પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના મામલે મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો ઝડપાયા છે. જાણીએ શું છે સમગ્ર કૌભાંડ

પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ખોટો લાભ મેળવતા ખેડૂતો પકડાતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.પાત્રતા   ન ધરાવતા લોકો પણ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 4 લાખ 52 હજાર ખેડૂતો ખરા લાભાર્થી ન હોવા છતાં સહાયની રકમ મેળવી હોવાનુ સામે આવ્યું છે. જો કે હવે સમગ્ર સત્ય સામે આવતા આ રીતે ખોટી રીતે મેળવેલી સહાયની રકમ સરકારને  પરત  આપવી પડશે .

ગુજરાતમાં 4.52 લાખ ખેડૂતોએ અંદાજિત રૂ. 16,272,000,000 ખોટી રીતે મેળવી લીધા હોવાનું સાબિત થયું છે. જમીન ધારક્તા અંગેની ચકાસણી કરતાં 4 લાખ 52 હજાર ખોટા લાભાર્થી સામે આવ્યા છે.નોંધનિય છે કે, વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. ખેડૂતને મદદરૂપ થવાના આશયથી સરકાર દર 4 મહિને બેંક એકાઉન્ટમાં રૂ. 2 હજાર જમાં કરે છે.વર્ષ 2019માં શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતમાં કુલ 58 લાખ ખેડૂતો નોંધાયા હતા. નોંધાયેલા ખેડૂતોની પાત્રતા ચકાસતા 53.48 લાખ ખેડૂતો સાચા લાભાર્થી તો કરતાં 4 લાખ 52 હજાર ખોટા લાભાર્થી સામે આવ્યાં છે.

લેન્ડ સીડિંગ અને E - KYCની ચકાસણીમાં અનેક બાબતો સામે આવી છે. જેમકે મૃત્યુ પામેલા ખેડૂતોના નામે સહાય મેળવતી હોવાનું પણ ખૂલ્યું છે. તો  જમીન વેચી દીધા બાદ પણ સહાય મેળવતા લાભાર્થી ઝડપાયા છે. આ સાથે 7/12 માંથી નામ કમી થઈ ગયા બાદ પણ સહાય મેળવતા ખેડૂતો ઝડપાયા છે. તપાસમાં સમૃદ્ધ હોવા છતાં અને ઈન્કટેકસ ભરતા હોવા છતાં પણ કિસાન સન્માન નિધિ મેળવનાર સામે સરકારે લાલ આંખ કરી છે અને હવે આ તમામ લોકોને પૈસા પરત ચૂકવવા પડશે.

PM Kisan Scheme: ગુજરાતના આ જિલ્લામાં 2957 ખેડૂતો પાસેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના રૂપિયા કરાશે રિકવર, જાણો વગત

PM Kisan Scheme:  ખેડૂતોને લઘુત્તમ આવક આધાર તરીકે સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સમાવી પ્રતિ વર્ષ 6 હજાર રૂપિયા મળે છે.1 ડિસેમ્બર 2018થી અમલમાં આવેલ આ યોજના ગરીબ ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે અને આ યોજના હેઠળ મળતી રકમ સીધા ખેડૂતના બેન્ક ખાતામા જમાં થાય છે પરંતુ આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ન હોય તેવા ખેડુત પણ આ યોજનો લાભ લીધો હોવાનું ધ્યાને આવ્યું છે જેને લઈ હવે સરકાર દ્વારા આવા ખેડૂતો પાસે થી રકમ પરત લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત પાત્રતા ધરાવતા ન હોય તેવા કુલ 2957 ખેડૂતો મળી આવ્યા છે આ ખેડૂતો પાસે થી રુપિયા 3 કરોડ 72 લાખ 26 હજાર રિકવર માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે હાલ 85 ખેડૂતો પાસેથી રૂપિયા 1.75 લાખ ની રકમ રિકવર કરવામાં આવી છે. આ રકમ ખેડૂતના બેંક ખાતામાંથી સીધી રિકવર કરવામાં આવી છે. આ એવા ખેડૂતો છે જે ઈન્કમટેકસ ભરે છે અને પેન્શન મેળવતા સરકારી નિવૃત્ત કર્મચારીઓ છે.

જો તમે PM કિસાન યોજનાનો લાભ લેવા માંગતા નથી, તો જાણો કેવી રીતે સરેન્ડર કરવું

ધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ઉમેરવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તામાં જમા થાય છે. પરંતુ, કેટલાક લોકો જાણતા-અજાણતા આ યોજનામાં જોડાયા છે. પરંતુ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર જે લોકો આ યોજનામાં જોડાઈ શકતા નથી તેમના વિશે પોર્ટલ પર માહિતી આપવામાં આવી છે. તેથી, જો કોઈ વ્યક્તિ આ યોજનામાં જોડાઈ ન શકે, તો તેણે આ યોજનામાંથી આત્મસમર્પણ કરવું જોઈએ.

  1. એવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકતા નથી, જેઓ હાલમાં કોઈ બંધારણીય પદ પર છે અથવા અગાઉ આવી કોઈ પોસ્ટ પર રહી ચૂક્યા છે.
  2. જો ખેડૂત ભૂતકાળમાં અથવા વર્તમાનમાં કોઈપણ રાજ્યનો મંત્રી હોય, અથવા લોકસભા અને રાજ્યસભામાંથી કોઈ એકનો સભ્ય હોય, અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મેયર હોય, અથવા જિલ્લા પંચાયતનો અધ્યક્ષ હોય, તો આ યોજનામાંનો લાભ લઈ શકશે નહીં.
  3. કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અથવા ગ્રુપ-ડીના સભ્ય હોવા ઉપરાંત, જો કોઈ વ્યક્તિ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે કામ કરે છે અથવા તેના પદ પરથી અગાઉ નિવૃત્ત થઈ ચૂક્યો છે, તો તે પણ આ યોજના માટે પાત્ર નથી.
  4. જો કોઈ વ્યક્તિનું પેન્શન 10,000 રૂપિયા પ્રતિ માસ કે તેથી વધુ આવે છે, તો તે પણ આ યોજના માટે પાત્ર નથી.
  5. જે લોકો આવકવેરો ચૂકવે છે તે લોકો પણ આ યોજના માટે અરજી કરી શકતા નથી.
  6. આ બધા સિવાય, જે લોકો પ્રોફેશનલી ડોકટરો, એન્જીનીયર, વકીલો અથવા અન્ય કોઈ રજિસ્ટર્ડ પ્રોફેશનલ પોસ્ટ પર છે, તેઓ પણ આ યોજનામાંથી નફો કમાઈ શકતા નથી.

પીએમ કિસાન યોજનામાં આ રીતે સરેન્ડર કરો

પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ, જો આમાંથી કોઈ પણ લોકો લાભ લઈ રહ્યા છે, તો તે આ યોજનામાંથી પોતાના હાથ પાછા ખેંચી શકે છે. આ માટે તમારે 5 સરળ સ્ટેપ ફોલો કરવા પડશે.

સ્ટેપ 1: PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.

સ્ટેપ 2: આ પછી 'PM કિસાન લાભોની સ્વૈચ્છિક શરણાગતિ' પર ક્લિક કરો.

સ્ટેપ 3: તેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. જનરેટ OTP પર પણ ક્લિક કરો.

સ્ટેપ 4: OTP દાખલ કર્યા પછી, તમારા દ્વારા લેવામાં આવેલા તમામ હપ્તાઓ પ્રદર્શિત થશે.

સ્ટેપ 5: આ પછી એક સવાલ આવશે કે શું તમે આ સ્કીમનો લાભ લેવા માંગતા નથી અને સરન્ડર કરવા માંગો છો, જેના માટે તમારે હા પર ક્લિક કરવાનું રહેશે.

આ પ્રોસેસ પૂર્ણ થતાં જ, આ યોજના માટે તમારા વતી સરેન્ડર કરવામાં આવશે. આ સાથે સરકાર વતી આવું કરનાર વ્યક્તિને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget