શોધખોળ કરો
કોંગ્રેસના પાંચ ધારાસભ્યો નહીં જાય તિરુપતિ, જાણો શું છે કારણ?
1/3

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના 43 ધારાસભ્યો આજે તિરુપતિ દર્શન માટે જવાના છે. જોકે, અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે, આ 43 ધારાસભ્યોમાંથી પાંચ ધારાસભ્યો તિરુપતિ જવાના નથી. એબીપી અસ્મિતા પાસે અત્યાર સુધીમાં બે ધારાસભ્યોના નામ સામે આવ્યા છે. સાંજ સુધીમાં અન્ય ત્રણ નામો પણ સામે આવી શકે છે.
2/3

જે બે ધારાસભ્યોના નામ સામે આવ્યા છે, તેમાં રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વડગામના ધારાસભ્ય મણિભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. આ પાંચ ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં કોઈ કાર્યક્રમોને લઈને વ્યસ્ત હોવાથી તેઓ તિરુપતિ ન જવાના હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ત્રણ ધારાસભ્યોના નામ હજુ જાણી શકાયા નથી.
Published at : 22 Aug 2017 01:06 PM (IST)
View More





















