શોધખોળ કરો
છૂટાછેડા લીધાંના ત્રણ દિવસ બાદ જ ભરૂચની યુવતીએ અમદાવાદમાં કર્યો આપઘાત, જાણો વિગત
1/3

રિવરફ્રન્ટ પોલીસ હાલ યુવતીનાં પરિવાર જનોની પૂછપરછ કરી રહી છે. આપઘાત સ્થળની આસપાસનાં સીસીટીવી ફુટેજ જોવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. નદીમાં ઝંપલાવતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
2/3

અમદાવાદના ખાનપુર ખાતે આવેલા વોક-વે પરથી પારૂલ હસમુખભાઇ પટેલે નદીમાં ઝંપલાવ્યું હતું. આ મૃતક યુવતી ભરૂચનાં બલોટા ગામની વતની હતી. આજે જ તેનો જન્મદિવસ પણ હતો. આ યુવતીનાં 17મી જાન્યુઆરીનાં રોજ છૂટાછેડા થયા હતાં. આનાં કારણે જ યુવતીએ આ અંતિમ પગલું ભર્યું તેવી ચર્ચાઓ પણ ચાલી રહી હતી. આ મામલામાં હજી આપઘાત કરવાનું કારણ સામે આવ્યું નથી. હાલ તેની પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી.
Published at : 21 Jan 2019 11:29 AM (IST)
View More





















