ભાજપે આ અરજી કરાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પાટીદારો પોતાનો સમાવેશ ઓબીસીમાં કરીને અનામત માગ કરી રહ્યા છે, તે પાછળ ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરીઓનો ઓબીસીમાં સમાવેશ જવાબદાર મનાય છે. આંજણા ચૌધરીઓ સમૃદ્ધ હોવા છતા તેમને ઓબીસીમાં સમાવી લેવાયા છે, તેના કારણે ઠાકોર સમાજ પણ નારાજ છે. આ સંજોગોમાં ચૌધરી સમાજનો ઓબીસીમાં સમાવેશ ના થાય તો તેનો મહત્તમ લાભ ઠાકોર સમાજને મળે.
3/7
અરજદારે માંગ કરી છે કે વોટ બેંકની રાજનીતિમાં અપાયેલી અનામતને રદ્દ કરી દેવી જોઈએ. સાથે જ અરજદારે માંગ કરી છે કે જ્યાં સુધી આ અરજીનો નિકાલ ના થાય ત્યાં સુધી સરકારી નોકરીઓ માટેની ભરતીઓ મોકૂફ રાખવી. આ અરજીના પગલે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઓબીસી પંચને નોટિસ ઈશ્યુ કરી છે.
અમદાવાદ: ઓબીસીની કેટેગરીમાંથી અમુક જાતિઓને રદ્દ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ છે. ભાજપના કોર્પોરેટરે કરેલી જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરાયો છે કે ઓબીસી પંચની ભલામણો સિવાય રાજ્ય સરકારે વોટ બેન્ક ઉભી કરવા 39 જાતિઓને ઓબીસીમાં સમાવી છે. અને 1953ના એક કમિશનના રિપોર્ટનો છેક 1994માં અમલ કરાયો છે જે ખોટું છે.
6/7
અજમલજીએ આ 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દૂર કરવા અરજી કરી છે. 1. આરબ(મુસ્લિમ), 2. ભાંડ, 3. બુરુડ, 4. ચક્રવાડિયા દસર, 5. ચૌધરી કે હિંદુ આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર, 6. ચમથા, 7. ડકાલેરુ, 8. દેપાળા, 9. ઘંટિયા, 10. ઘાંચા, 11. ગલકડરા, 12. ગવળી, 13. હાટી,
7/7
આમ, ભાજપે પાટીદારો અને ઠાકોર સમાજ એ બે મોટા સમાજને ખૂશ કરવા માટે આંજણા ચૌધરી સમાજને ઓબીસીમાંથી દૂર કરવાની વ્યૂહરચના અપનાવી છે. ભાજપ સીધી રીતે આ હિલચાલ કરે તો રાજકીય રીતે ઉહાપોહ થાય, તેથી ભાજપે પોતાના ઠાકોર આગેવાન અજમલજી ઠાકોરને આગળ કરીને આ દાવ ખેલ્યો છે, તેવું રાજકીય વિશ્લેષકો માને છે.