શોધખોળ કરો
હોમઅમદાવાદભાજપનો માસ્ટરસ્ટ્રોકઃ પાટીદારો-ઠાકોરોને ખુશ કરવા 'આંજણા ચૌધરીઓ' ને OBC લિસ્ટમાંથી દૂર કરાવવા અરજી, બીજી કઈ કઈ જ્ઞાતિ થઈ શકે દૂર ?
ભાજપનો માસ્ટરસ્ટ્રોકઃ પાટીદારો-ઠાકોરોને ખુશ કરવા 'આંજણા ચૌધરીઓ' ને OBC લિસ્ટમાંથી દૂર કરાવવા અરજી, બીજી કઈ કઈ જ્ઞાતિ થઈ શકે દૂર ?
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 20 Apr 2017 12:24 PM (IST)
1/7

23. મુંડા, 24. માઢવિયા, 25. માળી, માળી રામી, મારવાડી માળી, 26. મૈયા કે મહિયા, 27. પાલવાડિયા, 28. પઢારિયા, 29. પખાલી, 30. સંઘેડા, 31. સિંઘડવ કે સિંઘાડિયા, 32. સોચી, 33. સુમરા (મુસ્લિમ), 34. સાગર, 35. સથવારા, સતવારા, કડિયા-સથવારા, કડિયા સતવારા, દલવાડી કે કડિયા, 36. ઠાકુર (બિન રાજપુત) 37. તિમાલી, 38. તરક(મુસ્લિક), 39. વજીર
2/7

ભાજપે આ અરજી કરાવીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. પાટીદારો પોતાનો સમાવેશ ઓબીસીમાં કરીને અનામત માગ કરી રહ્યા છે, તે પાછળ ઉત્તર ગુજરાતના આંજણા ચૌધરીઓનો ઓબીસીમાં સમાવેશ જવાબદાર મનાય છે. આંજણા ચૌધરીઓ સમૃદ્ધ હોવા છતા તેમને ઓબીસીમાં સમાવી લેવાયા છે, તેના કારણે ઠાકોર સમાજ પણ નારાજ છે. આ સંજોગોમાં ચૌધરી સમાજનો ઓબીસીમાં સમાવેશ ના થાય તો તેનો મહત્તમ લાભ ઠાકોર સમાજને મળે.
3/7

અરજદારે માંગ કરી છે કે વોટ બેંકની રાજનીતિમાં અપાયેલી અનામતને રદ્દ કરી દેવી જોઈએ. સાથે જ અરજદારે માંગ કરી છે કે જ્યાં સુધી આ અરજીનો નિકાલ ના થાય ત્યાં સુધી સરકારી નોકરીઓ માટેની ભરતીઓ મોકૂફ રાખવી. આ અરજીના પગલે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ઓબીસી પંચને નોટિસ ઈશ્યુ કરી છે.
4/7

14. જાચક, 15. કલહોડિયા, 16. કોટવાલ, 17. કુંભાર (બિયાર, કદરા પટેલ, લાઠિયા, પોટમેકર, પ્રજાપતિ વારિયા, વરિયા,) સોરઠિયા કુંભાર, કડિયા કુંભાર, સોરઠિયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, ગુજ્જર ક્ષત્રિય કડિયા, વટાલિયા પ્રજાપતિ, ક્ષત્રિય કડિયા, કડિયા, 18. ખરાક, 19. ખવાસ, 20. કારડિયા-નાડોદા, કારડિયા, નાડોદા, ભાઠી રાજપુત, કારડિયા રાજપુત, નાડોદા રાજપુત, 21. ખસિયા, 22. મિસ્ત્રી, ગુજ્જર, મિસ્ત્રી રાઠોડ, મિસ્ત્રી સુથાર, સુથાર, સુતાર, સુથાર ગુર્જર, ગુજ્જર સુથાર, ગુર્જર, મિસ્ત્રી સુતાર, લુહાર, પંચાલ, કડિયા સુથાર,
5/7

અમદાવાદ: ઓબીસીની કેટેગરીમાંથી અમુક જાતિઓને રદ્દ કરવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી થઇ છે. ભાજપના કોર્પોરેટરે કરેલી જાહેર હિતની અરજીમાં આક્ષેપ કરાયો છે કે ઓબીસી પંચની ભલામણો સિવાય રાજ્ય સરકારે વોટ બેન્ક ઉભી કરવા 39 જાતિઓને ઓબીસીમાં સમાવી છે. અને 1953ના એક કમિશનના રિપોર્ટનો છેક 1994માં અમલ કરાયો છે જે ખોટું છે.
6/7

અજમલજીએ આ 39 જ્ઞાતિઓને ઓબીસીમાંથી દૂર કરવા અરજી કરી છે. 1. આરબ(મુસ્લિમ), 2. ભાંડ, 3. બુરુડ, 4. ચક્રવાડિયા દસર, 5. ચૌધરી કે હિંદુ આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર, 6. ચમથા, 7. ડકાલેરુ, 8. દેપાળા, 9. ઘંટિયા, 10. ઘાંચા, 11. ગલકડરા, 12. ગવળી, 13. હાટી,
7/7

આમ, ભાજપે પાટીદારો અને ઠાકોર સમાજ એ બે મોટા સમાજને ખૂશ કરવા માટે આંજણા ચૌધરી સમાજને ઓબીસીમાંથી દૂર કરવાની વ્યૂહરચના અપનાવી છે. ભાજપ સીધી રીતે આ હિલચાલ કરે તો રાજકીય રીતે ઉહાપોહ થાય, તેથી ભાજપે પોતાના ઠાકોર આગેવાન અજમલજી ઠાકોરને આગળ કરીને આ દાવ ખેલ્યો છે, તેવું રાજકીય વિશ્લેષકો માને છે.
Published at : 20 Apr 2017 11:59 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
અમદાવાદ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અમદાવાદ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
અમદાવાદ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદ
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રેન્ડિંગ સમાચાર






















