પક્ષમાં રહીને જ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા બે પૂર્વ ધારાસભ્યો લુણાવાડાના હિરાભાઈ પટેલ અને ધાનેરાના જોઇતારામ પટેલને કોંગ્રેસ હાઇકમાન્ડે નોટિસ પાઠવી છે. જેમાં લખ્યું છે કે, તમે લોકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી છે માટે તમારી સામે શા માટે પગલા નહી લેવા ?
6/7
અમદાવાદઃ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ભૂમિકા ભજવનારા કોંગ્રસના ૪૬ નેતાઓ-આગેવાનો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે કાર્યવાહી હાથ ધરી છે. આ ૪૪ અગ્રણીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે, જ્યારે અન્ય ત્રણ નેતા પાસેથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં રાજીનામા લઈ લેવાયા છે.
7/7
આ ઉપરાંત ૪૩ નેતાઓને નોટિસ અપાઈ છે. સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચનાના પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને શોધી કાઢી કાર્યવાહી શરૂ કરાઇ છે. હવે જો તેઓનો જવાબ સંતોષકારક નહિ મળે તો પક્ષમાંથી પાંચ વર્ષ માટે હાંકી કઢાશે.