અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ દ્વારા 26 બેઠકો માટે પ્રભારી, સહ ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પ્રભારી, ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિયુક્તિની યાદી જાહેર કરી હતી.
3/4
4/4
અમદાવાદ પશ્ચિમની જવાબદારી આઈ. કે. જાડેજાને સોંપાઈ છે. જ્યારે જય નારાયણ વ્યાસને વડોદરા, ક્ચ્છ જિલ્લાના પ્રભારી બીપીન પ્રમોદરાય દવે, રાજકોટના પ્રભારી નરહરી અમીન, સુરતમાં ભરત બારોટ પ્રભારી તરીકે, બનાસકાંઠાના પ્રભારી તરીકે દુષ્યંત પંડ્યા , જામનગરના પ્રભારી રમણલાલ વોરા, પાટણના પ્રભારી મયંક નાયક, મહેસાણાના પ્રભારી જગદિશ પટેલ અને સાબરકાંઠાના પ્રભારી તરીકે પ્રદિપસિંહ વાઘેલાની નિમણૂક કરાઈ છે.