શોધખોળ કરો
ભાજપના નેતા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા
1/5

અમદાવાદઃ ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સયાગી નગરી એક્સપ્રેસ ટ્રેન સવાર જયંતી ભાનુશાળીને મોરબી માળીયા મીયાણી વચ્ચે ગોળી મારવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ચાલુ ટ્રેનમાં તેને ગોળી મારવામાં આવી છે. જયંતી ભાનુશાળી કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના માજી ઉપ પ્રમુખ હતા. ભાનુશાળી 2007થી 2012 સુધી અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
2/5

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રેનમાં જ મુસાફરના સ્વાંગમાં રહેલા કોન્ટ્રાક્ટ કિલરે તેમની હત્યા કરી નાખી હતી. કોચમાં ફાયરિંગનો અવાજ ન આવે તે માટે ગન પર સાયલેન્સર લગાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Published at : 08 Jan 2019 07:08 AM (IST)
Tags :
Jayanti BhanushaliView More





















