ત્યાર બાદ પ્રિયંકા ઈંટ અને પથ્થર શોધી લાવી અને દંપતીએ અનિલના માથામાં ફટકા મારી હત્યા કરી હતી. એ પછી બંને ટ્રેક્ટરમાં અનિલની લાશને લઈ ગયાં હતાં અને રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયાં હતાં. જો કે તેમની અનિલ સાથેના નિકટતાના કારણે તેમનો ભાંડો ફૂટી ગયો અને પોલીસે તેમને ઝડપી લીધાં.
2/7
એ પછી પવને અનિલને કહ્યું હતું કે, ‘તું મારી પત્નીની છેડતી કરે છે આજે તારી ખેર નથી’. તેણેપત્ની પ્રિયંકા સામે જ અનિલ સાથે બે વાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરી અકુદરતી સેક્સ માણ્યું હતું. દરમિયાનમાં પ્રિયંકા માર્બલની પટ્ટી લઈ આવી હતી અને અનિલના ગુદા માર્ગમાં નાંખી દેતાં તે તરફડવા માંડ્યો હતો.
3/7
એ પછી તે દિવસે સાંજે જ પોતે પત્ની પ્રિયંકાને લઈને અનિલના ઘરે ગયો હતો અને પ્રિયંકાને વાગ્યું છે તેને હોસ્પિટલ લઈ જવાની છે કહી તેને સાથે લઈ ગયાં હતાં. ત્રણેય જણાં વટવા નવાપુરા ખાતે એક અવાવરૂ જગ્યામાં ગયાં હતાં અને પવને અનિલને દીવાલની આડસમાં બેસાડ્યો હતો.
4/7
આરોપી પવને કબૂલાત કરી હતી કે, મંગળવારે ઢળતી સાંજે તે પોતાના ઘરે આવ્યો ત્યારે પોતાની પત્ની અનિલ સાથે ઘરમાં હતી. પવનને શંકા હતી કે તેની પત્નિને અનિલ સાથે સેક્સ સંબંધો છે. અનિલ તો પવનને જોઈને જતો રહ્યો હતો પણ ઉશ્કેરાયેલા પવને પત્ની પ્રિયંકાને ઢોરમાર માર્યો હતો.
5/7
અમદાવાદઃ વટવા કેનાલ રોડ પરથી મળેલી યુવકની લાશના મામલે ચોંકાવનારો ધડાકો થયો છે. મરનાર યુવકને પોતાની પત્નિ સાથે સેક્સ સંબંધો છે તેવી શંકાના આઘારે એક યુવકે તેની હત્યા કરી હતી. ચોંકાવનારી વાત એ છે કે મૃતક યુવકની હત્યા કરતાં પહેલાં યુવકે તેની સાથે બે વાર અકુદરતી સેક્સ માણ્યું હતું.
6/7
મૃતક અનિલ પવન ઉર્ફ ડાંગો મોહનભાઈ રાવત (ઉં.21) અને તેની પત્ની પ્રિયંકા (ઉં.20) (બન્ને રહે, રહે.નેશનલ હાઈવે-8, વટવા)ના સંપર્કમાં હતો તેવી માહિતી પોલીસને મળી હતી. પોલીસે તેમને લાવી પૂછપરછ કરતા દંપતી ભાંગી પડ્યું હતું અને બંનેએ અનિલની હત્યા ક્રૂરતાથી કરી હોવાની કબૂલાત કરી હતી.
7/7
વટવા કેનાલ પાસેથી મળેલી લાશ અંગે તપાસ કરી રહેલા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ રાજેશ સુવેરા અને પી.આઈ. કિરણ પટેલને માહિતી મળી હતી કે, મૃતકનું નામ અનિલ છગનભાઈ નિસરતા છે અને તે મૂળ ચરક ગામ વાંસવાડાનો છે. તે અમદાવાદમાં રહીને અલગ અલગ જગ્યાએ કડિયાકામ કરતો હતો.