શોધખોળ કરો
આસારામ આશ્રમમાંથી ગુપ્તાંગમાં છરીના ઘા મારેલી હાલતમાં મળ્યો સાધક, જાણો શું છે વિગત?
1/5

સુદામા અપરિણીત છે અને તેના પરિવારમાં તેનાં માતા-પિતા છે. આ ઘટના અંગે તેનાં માતા-પિતાને આશ્રમના સંચાલકે જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુદામાએ જાતે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલમાં સુદામાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
2/5

ચાંદખેડા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સોમવારે સવારે સુદામા સ્ટોરરૂમમાં ગયો હતો લાંબા સમય સુધી પરત ન ફરતાં અન્ય સાધક દ્વારા તપાસ કરતાં સુદામા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. લોહી લુહાણ હાલતમાં સુદામાને જોઇ સાધકે આશ્રમના સંચાલકને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુદામાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
Published at : 03 Jan 2018 02:43 PM (IST)
View More





















